Abtak Media Google News

હાઈકોર્ટના ચુકાદા બાદ ભાજપ-કોંગ્રેસની સામસામી આક્ષેપબાજી

ગોધરાકાંડ બાદ ફાટી નિકળેલા રમખાણોમાં નરોડા પાટીયા કેસમાં ૯૭ લોકોના મોત નિપજયા હતા

ગુજરાત હાઈકોર્ટે ૨૦૦૨ના નરોડા પાટીયા હત્યાકાંડ મામલે પોતાનો ચુકાદો આપતા રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના પૂર્વ નેતા માયા કોડનાનીની આજીવન કારાવાસની સજા રદ કરતા શંકાના આધારે નિર્દોષ જાહેર કર્યા છે. જ્યારે બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગીને દોષિત જાહેર કર્યા હતા. જોકે કોર્ટે તેમની મૃત્યુ સુધી કારાવાસની સજાને ઘટાડીને ૨૧ વર્ષ કરી નાખી હતી. આ સાથે જ જસ્ટિસ વર્ષા દેવાણી અને જસ્ટિસ એ.એસ. સુપેહિયાની પીઠે આ કેસમાં સાક્ષીઓના નિવેદનો તપાસ કરતી સંસ્થાનું વલણ ઢીલું હોવાનું કહ્યું હતું.

કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ અને ભાજપ દ્વારા એકબીજા સામે આરોપ-પ્રત્યારોપ લગાવવામાં આવ્યા છે અને આ મુદ્દે રાજકરણ શરુ થઈ ગયું છે. ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ આરોપ મુક્તા કહ્યું કે, કોંગ્રેસ સરકારે કઈ રીતે નિર્દોષ લોકો વિરુદ્ધ કાવાદાવા કરીને ફસાવ્યા હતા. તે આજે સામે આવ્યું છે. અંતે સત્યની જીત થઈ છે. કોંગ્રેસે ન્યાયતંત્રની મર્યાદા જાળવવી જોઈએ.

જ્યારે વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર આરોપ મુકતા કહ્યું કે, ભાજપે ન્યાયતંત્રને દૂષિત કર્યું છે. એકને ગોળ અને એકને ખોળની નીતિ અપનાવાઈ રહી છે. ભાજપ ન્યાયતંત્રને પ્રભાવિત કરી રહ્યું છે.

કોર્ટે આ મામલે ચુકાદો સંભળાવતા વધુમાં સ્ટીંગ ઓપરેશનને પૂરાવા તરીકે ન ગણી શકાય તેમ જણાવ્યું હતું. જોકે કોર્ટે આ કેસમાં ૨૮ આરોપી પૈકી ૧૨ને દોષિત જાહેર કર્યા છે જ્યારે ૧૬ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

આ કેસમાં બાબુ બજરંગી, નરેશ છારા, મુરલી સીંધી, હરેશ છારા, કિશન કોરાણી, પ્રકાશ રાઠોડ, સુરેશ લંગડો, પ્રેમચંદ તિવારી, સુરેશ ઉર્પે સહેજાદ, નવાબ ઉર્ફે કાળુ ભૈયા ષડયંત્રકારી ગણાવ્યા છે.

જ્યારે નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલ સજાના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરનાર આરોપીઓ પૈકી માયા કોડનાની, ગણપત છનાજી, વિક્રમ છારા, મનુભાવી મોરડા, બાબુ વણઝારા, પિંટુ છારા,વિલાસ સોનાર, સંતોષ મુલચંદાની, કિરપાલસિંહ છાબડા, સચિન મોદી, દિનેશ મરાઠી અને શશિકાંત મરાઠીને નિર્દોષ જાહેર કર્યા છે.

ઓગસ્ટ ૨૦૧૨માં જઈંઝ કેસની વિશે, અદાલતે રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપ નેતા માયા કોડનાની સહિત ૩૨ લોકોને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. જેમાં પૂર્વ રાજ્ય મંત્રી માયા કોડનાનીને ૨૮ વર્ષની જેલની સજા આપવામાં આવી હતી.

તેમજ આ હત્યાકાંડ કેસમાં અન્ય બહુચર્ચીત નામ બજરંગ દળના પૂર્વ નેતા બાબૂ બજરંગીને મૃત્યુ સુધી આજીવન કારાવાસની સજા આપવામાં આવી હતી. ત્યારે ૭ અન્ય લોકોને ૨૧ વર્ષની આજીવન કારાવાસ સજા ફરમાવાઈ હતી. તેમન બાકીના વ્યક્તિઓને ૧૪ વર્ષની સાધારણ આજીવન કારાવાસની સજઆ આપવામાં આવી હતી.

આ કેસમાં નીચલી કોર્ટે આ કેસમાં સબૂતોના અભાવમાં ૨૯ અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરી મુક્ત કરી દીધા હતા. જે બાદ દોષિત ઠેરવાયેલા આરોપીઓએ નીચલી કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તો જઈંઝ દ્વારા નીચલી કોર્ટના ૨૯ લોકોને નિર્દોષ જાહેર કરવાના ચુકાદાને પણ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.