Abtak Media Google News

હયાત એરપોર્ટનું સ્ળાંતર યા બાદ ૧૫૦ ફૂટ રીંગ રોડને જોડતા રસ્તા બનાવવા કોર્પોરેશન એરપોર્ટ ઓોરીટી પાસે જમીનની માંગણી કરશે

રૈયા રોડ પર કિશાનપરા રેલવે ફાટક પાસે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે બ્રિજ બનાવવાના નિર્ણય પર પૂર્ણ વિરામ મુકાઈ ગયા હોવાના સંકેતો મળી રહ્યાં છે. હાલ શહેરની મધ્યે આવેલા એરપોર્ટનું સ્ળાંતર કરવાની કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે ૧૫૦ ફૂટ રીંગ રોડ અને જામનગર રોડ સહિત પશ્ર્ચિમ રાજકોટ અને મધ્ય રાજકોટને જોડતા નવા રોડ કાઢવા માટે મહાપાલિકા દ્વારા એરપોર્ટ ઓોરીટી પાસે જમીનની માંગણી કરવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.

આજે પત્રકારો સો વાતચીત દરમિયાન મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, કિશાનપરા ફાટક પાસે બ્રિજ બનાવવામાં આવશે તો તે ઓવર નહીં પરંતુ અંડરબ્રિજ બનશે. જો કે તેઓએ એવા પણ સંકેતો આપ્યા હતા કે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે તા મધ્ય રાજકોટ અને પશ્ર્ચિમ રાજકોટને જોડવા માટે મહાપાલિકા એરપોર્ટ ર્ઓોરીટી પાસે જમીનની માંગણી કરશે. શહેરની મધ્ય આવેલા એરપોર્ટની સ્ળાંતરની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે એરપોર્ટ સીફટીંગ યા બાદ આગામી ૨ વર્ષમાં હજારો ચો.મી.જમીન ખુલી વાની સંભાવના છે.

એરપોર્ટની જમીનમાંી ૧૫૦ ફૂટ રીંગ રોડ, જામનગર રોડ સહિતના અલગ અલગ રાજમાર્ગોને જોડવા માટે જમીનની માંગણી કરવામાં આવશે. મ્યુનિ.કમિશરને આ વાત પરી એ સાબીત ઈ જાય છે કે, મહાપાલિકા તંત્રએ કિશાનપરા રેલવે ફાટક પાસે બ્રિજ બનાવવાના પ્રોજેકટ પણ હાલ પુરતું પૂર્ણ વિરામ મુકી દીધું છે. બજેટમાં જે પ્રોજેકટ મુકવામાં આવ્યા છે તેમાં ૧ કરોડી વધુના પ્રોજેકટને ફાસ્ટટ્રેક પર લેવાની રાજય સરકારની સુચના છે. બીજી તરફ કમિશનર કિશાનપરા બ્રિજ પ્રોજેકટને ફાસ્ટટ્રેક પર લેવા માંગતા ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.