Abtak Media Google News

કેશોદના માંગરોળ રોડ શેખ ગેરેજ તરીકે ઓળખાતા વિસતારની ગલીમાં આવેલ દુકાનો પાસેથી પસાર થતી પીવાના પાણીની પાઈપલાઈન તુટી જતા પાણીનો વેડફાડ થઈ રહયો છે જે બાબતે દુકાનદારોએ રજૂઆત કરી હોવા છતા નગરપાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવતુ નથી અને પાણીનો વેડફાડ થવાથી અને દુકાનની બાજુમાં જ પાણી વહેતું હોવાથી દુકાનદારો પરેશાની ભોગવી રહ્યા છે. તેમજ આ વિસ્તારમાં જ શહીદ હરેન્દ્ર ગીરી સમાધી સ્મારક આવેલ હોય ત્યાં જતા લોકો પણ પરેશાની ભોગ બની રહ્યા છે.

તેમજ આ ગલીમાં નગરપાલિકા સંચાલિત બંધ હાલતનુ જાહેર શૌચાલય પણ આવેલુ છે જ્યાં કચરાના ઢગલા હોય અને વહેતુ પાણી પણ ત્યાં પસાર થતુ હોવાથી વધુ ગંદકી જોવા મળી રહી છે જ્યાં નિયમીત સફાઈ પણ કરવામાં આવતી ન હોવાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે આ બાબતે નગરપાલિકા દ્વારા વહેલી તકે પાણીનો થતો વેડફાડ અટકાવવામાં આવે તેમજ નિયમીત સફાઈ કરવામાં આવે તેવી દુકાનદારોની માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.