Abtak Media Google News

પાલીકા દ્વારા નળ કનેકશન જ અપાયું નથી: માલધારીઓ અને પશુઓની હાલત દયનીય

ધ્રાંગધ્રા શહેરનાં પછાત વિસ્તાર ગણાતા વોર્ડ નં.૩માં રહીશોને પાણી માટે વલખા મારવા પડેતેવી સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને પૂનિતનગરમાં પાણીની તંગીના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે પાલીકા દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

ધ્રાંગધ્રાના વોર્ડ નં.૩માં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ રહ્યો છે. ત્યારે ભરઉનાળે આ વિસ્તારમાં પાણીની સમસ્યાને કારણે સ્થાનિકો ત્રસ્ત થયા છે. પુનિતનગરમાં માલધારીઓની વસ્તી છે. પાણીના તંગીના લીધે લોકોને તો ઠીક પશુઓને પણ મુશ્કેલી થઈ રહી છે. આ વિસ્તારમાં પાણીની લાઈનનાં જોડાણ જ આપવામાં આવ્યા નથી. સ્થાનિકોએ આઅંગે અનેકવાર પાલીકાને રજૂઆત કરી છે. પરંતુ પાલીકા દ્વારા આજ સુધી કોઈ પગલા લેવામા આવ્યા નથી. આ વિસ્તારમાં નેતાઓ પણ માત્ર ચૂંટણીના સમયે જ આવતા હોય છે.

સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નેતાઓ પણ ઉણા ઉતર્યા છે. આ વિસ્તારનાં લોકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.