Abtak Media Google News

ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના પુલવામા પિંગલાન વિસ્તારમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાયી હતી. રવિવારે મોડી રાતે સુરક્ષા દળોએ ખાનગી જાણકારીની આધારે પિંગલાન વિસ્તારના ઘરોમાં તપાસ શરૂ કરી હતી. રાતે 3 વાગે સુરક્ષા દળોનો સામનો એક ઘરમાં છુપાયેલા આતંકી સાથે થયો હતો. બન્ને તરફથી જબરદસ્ત ફાયરિંગ ચાલી રહ્યું હતું જેમાં એક મેજર સહિત ચાર જવાનો શહીદ થયા છે.


માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે, સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે રાતે 12 વાગ્યે ફાયરીંગ શરૂ થયું હતું. અને સવાર સુધી આ ફાઇરિંગ ચાલ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.