Abtak Media Google News

કરિશ્મા કપૂર  અને તેના કથિત બોયફ્રેન્ડ સંદીપ તોશનીવાલનાં મેરેજની અડચણ દૂર થતી નજર આવી રહી છે. થોડા દિવસ પહેલા સંદીપ તોશનીવાલ અને તેની પત્ની ડોક્ટર અશરિતા આપસી સહમતિથી તલાક લઇ રહ્યા હતા. ત્યારબાદ સંદીપે અશરીતાને 2 કરોડ જ્યારે પોતાની બંને પુત્રીઓને 3-3 કરોડ રૂપિયાની રકમ આપી હતી. પરંતુ જ્યારે કોર્ટે અશરિતા પાસે આ રકમની માહિતી માંગી તો તેણે આપવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ કોર્ટમાં કેસ બગડી ગયો અને કોર્ટે આગળની તારીખ આપતા તલાકની અરજી પર પ્રતિબંધ લગાવી દીધો હતો પરંતુ હવે કરિશ્મા અને તેના બોયફ્રેન્ડ સંદીપ માટે ગુડ ન્યૂઝ છે. ડૉકટર અશરીતા હવે રૂપિયાની માહિતી આપવા માટે માની ગઈ છે. જેથી બંનેના તલાક સરળતાથી થઇ જશે. શનિવારે અશરિતા કોર્ટ પહોચી અને તેણે રકમની જાહેરાત કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન ૨૦૦૩ માં થયા હતા. પરંતુ બહુ જલ્દી બંને વચ્ચેના સબંધો ખરાબ થવા લાગ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે બંનેને સેટલમેન્ટની સલાહ પણ આપી હતી. ૨૦૧૦ માં કરિશ્મા સંજયનું ઘર છોડીને મુંબઈમાં સેટલ થઇ ગઈ હતી. ૨૦૧૪માં બંનેએ પોતાના ૧૨ વર્ષ લાંબા સબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો અને તલાકની અરજી દાખલ કરી હતી. સંજય કપૂરે કરિશ્મા પર પૈસા માટે તેમના બાળકોને પ્યાદાની જેમ યુઝ કરવાનો આરોપ લગાવ્યો હતો. સંજયનું પણ કહેવું છે કે, કરિશ્માએ બાળકોને તેમના બીમાર માતા-પિતાને મળવાથી પણ રોક્યા હતા.

બોલિવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે ગયા વર્ષે જૂનમાં બિઝનેસમેન સંજય કપૂરથી તલાક લીધા હતા. બંને તેમની લાઈફમાં આગળ વધી ગયા છે. એક તરફ જ્યાં, કરિશ્મા કપૂર બિઝનેશમેન સંદીપ તોશનીવાલની સાથે ઘણીવાર નજર આવી ચૂકી છે તો બીજી તરફ સંજયનું નામ પણ પ્રિયા સચદેવની સાથે જોડાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.