Abtak Media Google News

રાજકોટ શ્રી મહાવીરનગર સ્થા.જૈન સંઘના સેવાભાવી પ્રમુખ ધમૉનુરાગી કાંતિભાઈ લાધાભાઈ શેઠ (ઉંમર વષૅ 82) આજરોજ તા.19/12/19ના અરિહંત શરણ પામેલ છે.તેઓ વિરેનભાઈ તથા સંજયભાઈના પિતાશ્રી તથા અ.સૌ.જયોતિકાબેન અને હેતલબેનના સસરા તથા રાષ્ટ્ર સંત પૂ.પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.પાસે ગત વર્ષે દીક્ષિત થયેલ પૂ.પરમ સ્વમિત્રાજી મ.સ.ના સંસારી દાદા થતા હતાં.

અત્રે નોંધનીય છે કે ધમૅ પ્રેમી કાંતિભાઈએ વર્ષો સુધી શ્રી મહાવીરનગર સ્થા.સંઘમાં પ્રમુખ પદે રહી તન,મન,ધનથી અજોડ સેવા કરેલ છે.તેઓ જયારે પણ પૂ.પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના દશૅન – વંદન કરવા જતાં ત્યારે ભાવના વ્યકત કરતાં કે ગુરુદેવ આપ જલ્દી – જલ્દી રાજકોટ પધારો અને મારી હાજરીમાં જ મારી પૌત્રી મુમુક્ષુ ઉપાસના સંજયભાઈ શેઠને દીક્ષાની દાન આપી કૃપા કરો.મારે મારી પૌત્રીનો સંયમ મહોત્સવ ઉજવવો છે. પૂ.પરમ ગુરુદેવશ્રી એ તેઓની ભાવના ગત વર્ષે પરીપૂણૅ કરી. 2018 ના ઐતિહાસિક સમૂહ ચાતુર્માસમાં ધમૅ પરાયણ શ્રી કાંતિભાઈએ ઉદાર દિલે દરેક કાયૅમાં મહામૂલો લાભ લીધેલ છે.

સદ્દગત કાંતિભાઈ શેઠની અંતિમ યાત્રા આજરોજ સાંજે 5:00 કલાકે તેઓના નિવાસ સ્થાન ( વીતરાગ બંગલો,નિમૅલા કોન્વેન્ટ સ્કૂલ રોડ,રાજકોટ ) ખાતેથી નીકળશે.

તેઓનો આત્મા જયાં બીરાજમાન હોય ત્યાં ચિર : શાંતિ,સમાધિને પ્રાપ્ત કરી શીઘ્રાતિ શીઘ્ર મોક્ષમાં બીરાજમાન થઈ શાશ્વત સુખોને પમે તેવી દેવાધિદેવને પ્રાથૅના.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.