Abtak Media Google News

જયેન્દ્ર સરસ્વતીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી જે બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.કાંચી મઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું બુધવારે નિધન થઈ ગયું છે. તેઓ 82 વર્ષના હતા. જયેન્દ્ર સરસ્વતીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી જે બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન જ તેમનું દેહાંત થઈ ગયું છે. જયેન્દ્ર સરસ્વતીનો 18 જુલાઈ, 1935નાં રોજ જન્મ થયો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં પણ તબિયત ખરાબ હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કાંચી મઠના 69માં શંકરાચાર્ય હતા

18 જુલાઈ, 1935નાં રોજ જન્મેલા જયેન્દ્ર સરસ્વતી કાંચી મઠના 69મા શંકરાચાર્ય હતા.જયેન્દ્ર સરસ્વતી 1954માં શંકરાચાર્ય બન્યાં હતા.કાંચી મઠ દ્વારા અનેક સ્કૂલ, આંખોની હોસ્પિટલ ચલાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.