Abtak Media Google News

સ્વામીનારાયણ મંદીર વિરપુર નો દશાબ્દી મહોત્સવ તથા ભવ્ય શાકોત્સવ આવતીકાલે વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીના શુભ આશીર્વાદથી અને હરિદ્વાર સ્વામીનારાયણ આશ્રમના સંસ્થાપકની હરિ વલ્લભદાસજી સ્વામીના શુભ સઁકલ્પથી ખુબ જ ધામધુમથી ભવ્યાતિભવ્ય ઉજવવામાં આવશે.

રવજીભાઇ ઠાકરશીભાલ ગાજીપરાના યજમાન પદે ઉજવવામાં આવશે. ધામેધામથી વંદનીય સંતો પધારી દર્શન પ્રવચન અને આશીર્વાદનો અલભ્ય લાભ આપશે. વીરપુર (જલારામ) સત્સંગ સમાજ વતી શાસ્ત્રી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી સૌ હરિભકતોનો સહ પરીવાર મહોત્સવમાં પધારવા આત્મીય આમંત્રપ પાઠવે છે.

રાજકોટ મુખ્ય સ્વામીનારાયણ મંદીર ભુપેન્દ્ર રોડના દેવ ઉત્સવ મંડળ, રાજકોટ તરફથી સવારના ૮ થી ૯.૩૦ સુધી કીર્તનોત્સવ થશે.

જળયાત્રા, કથાવાર્તા, રાસોત્સવ, પાટોત્સવ અભિષેક, મહાપુજા, અનકોટ આરતી સંતોના આશીર્વાદનું આયોજન કરાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.