Abtak Media Google News

સાધુ, સંતો, ભગવંતો એક જ સ્થાને જંગલ તીર્થી મટી સ્થાવર તીર્થ બની રહે છે

અષાઢ સુદ એકાદશીનો વરતારો: દેવશયની એકાદશીએ જો શનિ, રવિ કે મંગળવાર હોય તો લોકોની પીડા, મોંધવારી અને ઝઘડા વધે

કહેવાય છે કે, દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમા શેષનાગની શૈયા બનાવી શયન કરે છે, એટલે કે એને દેવશયની એકાદશી તથા પદમનાભા એકાદશી પણ કહેવાય છે. અને એમની જાગૃતિની એકાદશીને પ્રબોધિની એકાદશી કહે છે, જે કાર્તિક સુદ અગીયારસના આવે છે.એક એવી પણ કથા છે કે, ભગવાન વિષ્ણુ આજથી ચાર માસ સુધી પાતાળમાં બલિ-રાજાના દ્વાર પર નિવાસ કરે છે.

એવું પણ કહેવાય છે કે જયારે સૂર્ય કર્ક રાશિમાં આવે ત્યારે ભગવાન વિષ્ણુ શયન કરે છે અને તુલામાં જાગૃત થાય છે.

એક એવી પણ કથા છે  શંખાસુર નામના રાક્ષસનો વધ કરતાં પડેલા શ્રમને કારણે પોતાનો થાક ઉતારવા ભગવાન વિષ્ણુ પાતાળમાં ચાર માસ પોઢી ગયા.

માંધાતા નામક એક આઘ્યાત્મિક રાજા અને અંગીરાઋષિ સાથે પણ આ શયનની કથા સંકળાયેલી છે.

બ્રહ્રાંડ પુરાણે આ હરિરાયની એકાદશીનું અનેરું મહત્વ દર્શાવતા કહ્યું છે કે, આજના દિવસે સામુહિત વ્રત કરવાથી અનાવૃષ્ટિનો ભય રહેતો નથી.

સ્કંદ પુરાણ કહે છે, ચાર્તુમાસ આવતા દરેક દેવો તીર્થો ભગવાન વિષ્ણુના ચરણમાં શરણ લે છે. અત: ચાતુર્માસમાં જે ભગવાન વિષ્ણુની પૂજા, અર્ચના, આરાધના કરે છે તેનું જીવન ધનય બની જાય છે.

સામાન્ય રીતે આ સમય વર્ષા કાળનો હોય છે એ જમાનામાં યાત્રામાં અન્ય સ્થળે વિહાર કરવાની સુવિધાઓ નો તી આજે, પણ એટલી જ કઠીન છે. એટલે કે આ સમય દરમ્યાન સાધુ-સંતો ભગવંતો એક જ સ્થાને સ્થિર રહે છે. મતલબ જંગમ તીર્થ મટી સ્થાવર તીર્થ બનીને રહે છે. જેને ચાતુર્માસ કહેવાય છે.

આમ ચોમાસામાં ચાતુર્માસ દરમ્યાન વ્રજ સિવાયની બાકીની તમામ યાત્રાઓ સામાન્યત બંધ રહે છે. સાધુ-સંતો જંગમ તીર્થ મટી સ્થાવર તીર્થ બની જઇ એક સ્થળે મુકામ કરે છે તો વૈષ્ણવો એવું માને છે કે તમામ તીર્થો આ સમય દરમ્યાન વ્રજમાં પધારી નિવાસ કરે છે. આથી દેવરાયની એકાદશીએ મથુરા-વૃંદાવનની સમ્મિલિન પરિક્રમા યોજે છે આ પરિક્રમાનું માહાત્મય વારાહ પુરાણમાં સરસ આપ્યું છે.

આ ચાર્તુમાસમાં ભગવાન વિષ્ણુ જળમાં શયન કહે છે, મતલબ જળ એજ જીવન છે. આ દિવસો દરમ્યાન ભગવાનનો વાસ જળમાં હોઇ આ દિવસો દરમ્યાન ભગવાનનો વાસ જળમાં હોઇ આ દિવસો દરમ્યાન સ્નાનનું પણ અધિક મહત્વ છે આ દિવસો દરમ્યાન પિતૃઓને ફકત જળની અંજલી આપવાથી પણ તેઓ તૃપ્ત થઇ જાય છે.

ઉલ્લેખનીય છે કે સમય દરમ્યાન દાનનું પણ સવિશેષ મહત્વ છે. અન્ન અને જળ સમું કોઇ દાન નથી.ચાતુર્માસમાં ગોળ ખાવાનું છોડવાથી મધુર સ્વરની પ્રાપ્તિ થાય છે, તેલનો ત્યાગ કરવાથી ઘરમાં સુખશાંતિ વધે છે, ઘી નો ત્યાગ કરવાથી સૌદર્યતા નિખરી છે. આ દિવસો દરમ્યાન પંચગવ્ય સેવનને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. વાસ્તવમાં મહદ અંશે શરીરને થોડું કષ્ટ આથી સ્વસ્થ રાખવાવૃતિઓને નિરોધવા કે સંયમ પાળવા માટે આ સમય દરમ્યાન વ્રતો કરવામાં આવતા હોય છે. આવા વ્રતો અવસ્થા અને સંજોગો મુબજ કરવા હિતવાહ આયુર્વેદના કથન મુજબ આ સમય દરમ્યાન આવા વ્રતો આરોગ્ય માટે અત્યંત ઉપયોગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.