Abtak Media Google News

ખેડૂતો માટે મહત્વના અને રાહતના સમાચાર છે. ખેડૂતો રાત-દિવસ જોયા વગર ખેતીના કાર્યને પ્રાથમિકતા આપતા હોય છે. એવામાં કયારેક રાત્રિના સમયે પણ ‘પાણી વાળવા જવું પડતું હોય છે’ ત્યારે ઘણીવાર સાપ કરડવાના બનાવો બનતા હોય છે. સાપ કરડવાથી અનેક લોકોએ જીવ ગુમાવવાના કમકમાટી ભર્યા કિસ્સાના કારણે વડીલોની અથવા ઘરના મોભીની છત્રછાયા ગુમાવવી પડે છે. સાણ કરડવાની સારવાર કયારેક કારગર નીવડે છે. તો કયારેક કમકમાટી ભરી આવું કંઇ આપના પરિવારમાં ન બને તેથી આજે આપણે એક એવા ઉપાય વિશે વાત કરીશું જેને અપનાવવાથી માત્ર ૧૦ મીનીટમાં જ સાપ કરડવાનો સરળ અને કારગર ઉપચાર સિઘ્ધ થશે.

આ કુદરતી ઉપચારમાં કકોડા નામનો એક છોડ છે. જેના ઉપયોગથી માત્ર ૧૦ મીનીટમાઁ જ સાપ કરડવાનું ઝેર ઉતારી શકાય છે. અતિ લાયદાયી એવા કકોડાના છોડમાં અનેક ઔષધિક ગુણ છે. આ છોડની વિશેષતા એ છે કે, તે કોઇપણ પ્રકારના ઝેરને ખતમ કરી દે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.