Abtak Media Google News

અરવિંદભાઈ મણિયારની ૮૬મી જન્મજયંતિ નિમિત્તેે

રાજકોટના સ્વપ્નદ્રષ્ટા અરવિંદભાઈ મણીયારની ૮૬મી જન્મ જયંતિએ અરવિંદભાઈ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે સંગીતનું સરોવર નામે રસપ્રદ કાર્યક્રમ યોજાયો હતો. મુંબઈના પ્રખ્યાત કલાકારો કવિતામૂર્તિ દેશપાંડે અને શિવપ્રસાદ માણીયાએ મોડીરાત સુધી જૂના નવા ફિલ્મી ગીતો રજૂ કરી શ્રોતાઓની ભરપૂર દાદ મેળવી હતી.

અરવિંદભાઈ મણીયારની જન્મજયંતીએ કાર્યક્રમ યોજવાની પરંપરા અઢી દાયકા કરતા પણ વધારે સમયથી ચાલી આવે છે. ચાલુ વર્ષે આ પરંપરામાં મુબંઈના યુવાન કલાકારોની કલા માણવાનો લ્હાવો રાજકોટની જનતાને મળ્યો હતો. કલાકારોએ અમીરબાઈ કર્ણાટકી નુરજહાં, લતા મંગેશકર, કિશોરકુમાર ઈત્યાદીના અરવિંદભાઈ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટની પ્રવૃત્તિઓને કવિતામૂર્તિ દેશપાંડેએ બિરદાવી હતી.

અરવિંદભાઈ મણીયાર સાથે કામ કરનાર પાંચ વ્યકિતઓનું સન્માન કરવામાં આવ્યું હતુ તેમાં વીરેન્દ્ર મણીઆર, પ્રવીણભાઈ પારેખ, નાગજીભાઈ આંબલીયા,પેસુમલ ચેલારામ (મરણોત્તર) અને હસમુખ રાય મહેતા (મરણોત્તર) નો સમાવેશ થાય છે.

સાંસદ મોહનભાઈ કુંડારીયાએ અરવિંદભાઈ જેવી વ્યકિતઓના જીવનમાંથી પ્રેરણા મળી શકે તેમ જણાવ્યુ હતુ સન્માનીત થયેલ વ્યકિતઓને મોમેન્ટો, શાલ અને પુસ્તક આપવામાં આવ્યા હતા. મેનેજીંગ ટ્રસ્ટી ડો. વલ્લભભાઈ કથીરીયાએ સ્વાગત કરતાં પ્રવૃત્તિઓની ‚પરેખા આપી હતી. અને જયોતીન્દ્ર મહેતાએ આભારવિધિ કરી હતી.

સંગીતનું સરોવર કાર્યક્રમ સતત ચાર કલાક ચાલ્યો હતો. તેમાં હંસિકાબેન મણીઆર, નલીન વસા, કલ્પક મણીયાર, જીવણભાઈ પટેલ, ગોપાલભાઈ પટેલ, સહિત શહેરનાં અગ્રણીઓ અને નાગરીકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમની સફળતા માટે જયંતભાઈ ધોળકીયા, નિલેશ શાહ, કમલેશ મહેતા, રાજુલભાઈ દવે, પ્રભાતભાઈ ડાંગર, લક્ષ્મણભાઈ મકવાણા, હસમુખ ગણાત્રા, મનીષભાઈ શેઠ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.