Abtak Media Google News

અંતિમવિધિ માટે મૃતદેહ અમદાવાદ લઈ જવાતા બંને વેવાઈ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો

જૂનાગઢની પરિણીતાને તેમના લગ્ન જીવન દરમ્યાન સાસરીયા દ્વારા ત્રાસ આપવામા આવતો હોય પરિણીતાએ પોતાની મેળે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણી દીધેલો હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. મૃતક યુવતીના પિતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવઅંગે પોલીસે આપેલી વિગત અનુસાર અમદાવાદ ચાંદલોડીયા, ઘર નં. ૫૨, ગૂરૂકૃપા સોસા. વિભાગ ૨ અર્જુન આશ્રમની સામેરહેતા મનસુખભાઈ કરશનભાઈ રાઘવાણી ઉ.૫૪ એ યોગેશ ચૂનીલાલ રામપરીયા રહે.

ઝાંઝરડા રોડ જૂનાગઢ, ચુનીભાઈ ટપુભાઈ રામપરીયા તથા દયાબેન ચુનીભાઈ રામપરયા રહે. બંને ઈશનપૂર, અમદાવાદવાળા વિરૂધ્ધ પોલસીમાં એવા મતલબની ફરિયાદ નોંધાવેલી છે કે, આ કામના ફરિયાદીના મરણ જનાર દકિરી ઉષાબેન યોગેશભાઈ ઉ.૨૯ને આ કામના આરોપીઓએ મારમારી બિભત્સ શબ્દો કહી અવાર નવાર દુ:ખ, ત્રાસ આપી મરવા મજબૂર કરી ગુન્હો કરેલ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કલમ ૩૦૬, ૪૯૮, (ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે. મારૂ ચલાવી રહ્યા છે.જૂનાગઢ જાંજરડારોડ પર ઉષાબેનના મૃત્યુ બાદ અંતિમક્રિયા માટે મૃતદેહ પિયર અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો. જયાં બે વેવાઈ વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો થતા પોલીસમાં જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે પરિણીતાની અંતિમયાત્રા નીકળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.