Abtak Media Google News

જૂનાગઢ કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પુત્ર મનોજભાઈ જોષી, તેમના પત્ની, બનેવી અને મનોજભાઈની પુત્રી આંધ્રપ્રદેશ ફરવા ગયા હતા. ત્યાંથી હૈદરાબાદ રવાના થયા ત્યારે હૈદરાબાદ નજીક બપોરે ચાર કલાકે એક ટ્રકે પરિવારની કારને હડફેટે લેતા મનોજભાઈની 11 વર્ષીય દીકરી પરીનું કરૂણ મોત નિપજ્યુ.

જયારે મનોજભાઈ અને તેમના બનેવીને ઈજા પહોંચી હતી. આ પરિવાર ફરીને તા.23 સુધીમા જૂનાગઢ પરત ફરવાનો હતો. ત્યારે જ અકસ્માત સર્જાતા ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. ધારાસભ્યની પુત્રીના મૃતદેહને જૂનાગઢ પહોંચાડવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.