નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં એમ.એસ.સી. ફોરેસ્ટ્રીમાં પ્રથમ વર્ષનાં બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા મુળ જુનાગઢનાં વિદ્યાર્થીએ હોસ્ટેલનાં ‚મમાં ફાંસો ખાઈને જીવતર ટુંકાવી લીધું હતું. મૃતક જુનાગઢનાં તબીબનો એકનો એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. નવસારીમાં આવેલ કૃષિ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજયુએટ કોર્સમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો ચિરાગ સવજીભાઈ વઘાસીયા (ઉ.વ.૨૪)એ આ વર્ષે એમ.એસ.સી. ફોરેસ્ટ્રીમાં એડમિશન લીધું હતું. ચિરાગ વઘાસીયાએ સંકલ્પ પીજી બોયસ હોસ્ટેલમાં ‚મ નં.૧૧૬માં તેના ‚મ પાર્ટનર મયુર નામના યુવાન સાથે રહેતો હતો. ચિરાગ હાલ બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો હતો. સોમવારે સવારે ચિરાગ કોલેજમાં ગયો ન હતો જેથી તેમનાં મિત્રો તેના ‚મ પર ગયા હતા અને ‚મ અંદરથી બંધ હતો. ‚મ ખોલીને જોતા ચિરાગને પંખા પર લટકેલી હાલતમાં મળતા પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….