Abtak Media Google News

સગાઈ બાદ જ્ઞાતીના જ યુવકે આવુ અધમ કૃત્ય આચરતા ચોમેર ફીટકાર

હાલ યુવતીઓન શારીરીક શોષણની ફરિયાદો પુષ્કળ પ્રમાણમાં વદી રહી છે ત્યારે જૂનાગઢનાં ખલીલપૂર રોડ પર યુવતીને વિદેશ લઈ જવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજરાતા સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી જવા પામી છે

માળીયાહાટીના તાલુકાની પીખોર ગામની દેવમૂરારી પરીવારની ઉ.૨૫ની યુવતીએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી
છે કે તા.૧૨.૩.૧૮ દરમ્યાન અને ત્યાર પછી ત્રણેકવાર બનેલા બનાવ અંગે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર શ્રીકાંત યોગેશભાઈ નીમાવત વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે આરોપી ઓસ્ટ્રેલીયા હતા

અને ગુજરાત આવી બાવાજી જ્ઞાતીની બુકાં સુશિક્ષીત ક્ધયા વિદેશ લઈજવાની જાહેરાત આપી ભોગાબનનાર ફરિયાદી સાથે તેણે વિશ્ર્વાસ આપી અને તા. ૯.૩ના રોજ ફરિયાદીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારી અને ત્યારબાદ ૨૯-૩-૨૦૧૮, ૭-૪-૧૮ અને તા. ૨૩-૪-૧૮ એમ ચાર વખત ફરિયાદી યુવતીની વિરૂધ્ધ બળાત્કાર ગુજારી અને ત્યારબાદ તા. ૨૫-૪-૧૮ના રોજ મારે તારી સાથે લગ્ન કરવા નથી અને સગાઈ તોડીનાખવી
છે એમ કહી ભોગ બનનાર યુવતી પર દુષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.