Abtak Media Google News

Table of Contents

નાતાલનો મહત્વ અપારછે. આ તહેવાર ૨૫મી ડિસેમ્બરના ઉજવાય છે. આ દિવસ પ્રતીક બની ગયું છે, ઈસુ ખ્રિસ્તનાજન્મદિવસ તરીકે. ઈસુ ખ્રિસ્ત, ઈસાઈધર્મના, ખ્રિસ્તીદેવતાના સુપુત્ર હતા. ઈસાઈ ધર્મના,પ્રથમપ્રબોધક હતા, જેણે, ઈસાઈ ધર્મનો, વિશ્વભરમાં પ્રચારકર્યો.

નાતાલનો મહિમાધાર્મિક પ્રણાલિકા પ્રમાણે એમ મનાય છે કે ઈસુ ખ્રિસ્ત, દૈવત્વનો અવતાર છે.જયારે પૃથ્વીપર અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, લોભ, તિરસ્કાર, પાખંડ અને અન્યસમસ્યાઓ વધી, ત્યારેઈસુ ખ્રિસ્તનો, કુમારિકામેરી થકી જન્મ લીધો. ઈસુ ખ્રિસ્તે વિશ્વભરના મનુષ્યનું પરિવર્તન કર્યું, ઈસુ ખ્રિસ્તના ઉપદેશોદ્વારા, નિર્બળતા, પવિત્રતા, શીખવાનુ ગૌરવ અનેઅપરિગ્રહ, જેવાગુણોનો પ્રચાર થયો.ભારતમાં,ખ્રિસ્તીનીલોકસંખ્યા આશરે ૨.૮ કરોડની છે. ખ્રિસ્તીઓ ઉત્તર પૂર્વ ભારત,

ગોઆ, દક્ષિણ ભારત અનેમહારાષ્ટ્રના રાજ્યના રહેવાસીઓ છે. ભારતમાં ખ્રિસ્તી સમુદાય, નાતાલ ઠાઠમાઠ, ઉત્સાહ અને ભક્તિભાવથીઊજવે છે.ખ્રિસ્તી દેવળોનું મહત્વ આ તહેવારમાં વધે છે. દેવળોમાં રવિવારથી આગમન થાયઅને તૈયારીઓ શરૂ થાય છે. ખ્રિસ્તી દેવળોમાં નાતાલ સમૂહઓની તૈયારીઓની શરૂઆત કરે છે.ખ્રિસ્તી ઘરોમાં, અલગ અલગવાનગીઓ રાંધવાની તૈયારી થાય છે. બધા ઘરો શણગારવા લાઞે છે.

નાતાલ એક રંગીનતહેવાર છે. સ્થાનિક દુકાનો અને બજારો,ચમકતીલાઇટો, ફૂલો અનેવિવિધ પ્રકારની  બનાવટો થી સજાવટ દ્વારા શણગારાય છે. ખ્રિસ્તી દેવળો અદભૂતપ્રકાશના પ્રદર્શનોથી ઝગમગી ઉઠે છ. ખ્રિસ્તી ઘરોમા નાતાલનાં વૃક્ષો શણગારાય છે.ભારતમાં બરફ બધા સ્થળે નથી પડતો, પણ બાળકોસફેદ રૂ અને બીજા અન્ય ઘરેલુ શણગારથી વૃક્ષો સજાવે છે.

ગોઆના ભોજનોનોપ્રભાવ નાતાલમાં ભારતમાં દેખાય છે. કુસવાર,એટલેનાતાલમાં બનતી વાનગીઓનું નામ. ફળના કેક,ગુલકંદનાબીસ્કીટ, કીડીઓ(સોજીની મીઠાઈ) અને માર્ઝીપન જેવી અલગ અલગ વાનગીઓ મહિલાઓ ભેગાં મળી રાંધે છે.ઈલાયચી અને કાજુ જેવા સૂકા મેવાથી ભરપૂર વાનગીઓ છે. ૨૪ ડિસેમ્બર રાતે, પોર્ક અને મરઘી શાકઅને સનનાસ, પીરસાય છે, જે મસાલેદાર હોય છે.

જમ્યા પછી, બાળકો અને વડીલો, ખ્રિસ્તી દેવળોમાંનાતાલના ભજન (ક્રિસ્મ્સ કેરલ) ગાઇઅને પ્રાર્થના કરીને, બધા લોકો એક બીજાનેમેરી ક્રિસ્ટ્મસ કરી, હળીમળીને, છુટા પડે છે. બાળકોઅને વડીલો, હેતુમિત્રો અને સગા સબંધીની ઘેર જાય છે. ફળના કેક (ફ્રુઇત કેકે) સાથે વાઇન પીએ છે.

નાતાલનાં શુભ દિવસે, સવારે બધા સદસ્યગરમાગરમ અને મસાલેદાર નાશ્તો કરીને,બાળકો, દોસ્તારો અનેસગાસબંધીઓના ઘેર જાય છે. જાતિ, પંથ, ધર્મના બંધનોને અવગણી, ફળના કેક અને બીજીમીઠાઈ, એકબીજાનેખવડાવે છે. ત્યારબાદબપોર સુધીમાં, પાછા ઘેરજઈને બધા ભેગા જમે છે.

બપોરનું જમવાનુંપૂરું કરીને થોડો વિસામો લે છે. સાંજ પડે એટલે બાળકો અને વડીલો, નાતાલનું નૃત્ય કરેછે. ઘણા લોકો તો સવારો સવાર સુધી નૃત્ય કરે છે. સવાર થાય એટલે લોકો સૂર્યોદયનિહાળી ને પાછા ઘેર જાય છે.

નાતાલ એટલેખ્રિસ્તીનો અંતિમ તહેવાર તો છે, પણ તેનીસાથે, એક એવોતહેવાર છે જેની ઉજવણીમાં, વડીલો અનેબાળકો, હેતુમિત્રો અને સગા સંભંધિઓ, ભેગા મળી, પ્રેમથી, હસી મજાક કરીને એકવર્ષને અલવિદા કહે છે, અને એકસમૃદ્ધ નૂતન વર્ષનું, ઇચ્છે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.