Abtak Media Google News

જેસીઆઈ ઈન્ડીયા ઝોન ૭નું વાર્ષિક અધિવેશન તાજેતરમાં ગાંધીનગર ખાતે જેસીઆઈ કલોલ દ્વારા યોજવામાં આવ્યું હતુ. જેમાં વર્ષ ૨૦૧૮ની ઝોન ગવર્નીંગ બોર્ડની નિમણુંક અને પથવિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જેસીઆઈ રાજકોટ યુવામાંથી ૨ મેમ્બર્સની નિમણુંક થઈ છે. જેમાં જેસી ગીરીશ ચંદારાણા ઝોન ડાયરેકટર ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ અને જેસી રચના રૂપારેલ ઝોન ડાયરેકટર જેસીરેટ વીંગમાં નિમણુંક થઈ છે. જે જેસીઆઈ રાજકોટ યુવા સાથે રાજકોટે પણ ગૌરવ લેવા જેવી વાત છે વર્ષ ૨૦૧૮ના ઝોન પ્રમુખ તરીકે જેસી હિતુલ કારીયા જેસીઆઈ જામનગરની નિમણુંક થઈ છે. સર્વે જેસીઆઈ રાજકોટ યુવા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.