Abtak Media Google News

રાજકોટનું નામાંકિત સેવાભાવી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જયેશભાઇ ઉપાધ્યાયનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે હોસ્પિટલમાથી રજા આપવામાં આવી છે.

જ્યારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે અબતક સાથેની ટેલિફોનીક વાત ચિતમાં કહ્યું તું કે “લોકોના આશીર્વાદ અને મહાદેવ ના આશીર્વાદ મારી સાથે છે.હું સ્કૂટર લઈ ને હોસ્પિટલમાં આવ્યો છું ઘોડા જેવો થઈ ને અહીં થી બહાર નિકળીશ.” ખરા અર્થમાં જયેશભાઈ પર મહાદેવની કૃપા વરસી અને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો.

લોકડાઉન દરમ્યાન બોલબાલા ટ્રસ્ટ દ્વારા દરરોજ ના 37 હજાર લોકોને ટિફિન પોહચાડવાની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

હંમેશા લોકોની મદદે જયેશભાઇ તત્પર રહ્યા છે ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓની જલ્દીથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી તે ફળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.