Abtak Media Google News

ગુજરાત રાજયનાં પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગખાતાનાં કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાનો સન્માન સમારોહ સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શાળા સંચાલક મંડળના સંયુકત ઉપક્રમે શુક્રવારે સાંજે ૪ થી ૬ સુધી ન્યુ એરા સ્કૂલ રૈયારોડ રાજકોટ ખાતે યોજાશે.

ઉલ્લેખનીય છે કે જવાહરભાઈ ચાવડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજેતા થયા છે. અને તેમને કેબીનેટ મંત્રી તરીકે પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગના ખાતાની જવાબદારી સોપેલ છે. ત્યારે રાજકોટની વિવિધ સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરશે કાર્યક્રમને સફળ બનાવવા સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના સુરેશભાઈ પરમાર, મહિલા પાંખના રમાબેન હેરભા, તેમજ શાળા સંચાલક મંડળના અજયભાઈ પટેલ અને મહામંત્રી અવધેશભાઈ કાનગડ જહમેત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.