Abtak Media Google News

કેમ્પમાં ચાલુ વરસાદે ભરવામાં આવેલ સંકલ્પ પત્રોમાં ૯ અંગદાન ૧૩ ચક્ષુદાન તેમજ ૧૧ દેહદાનનો સમાવેશ

જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘વિશ્વ અંગદાન દિવસ’ નિમિતે રાખવામાં આવેલ કેમ્પમાં વરસાદ ચાલુ હોવા છતાં સવારે ૯થી ૧૨ તથા સાંજે ૪થી ૯ સુધી સંકલ્પ પત્ર ભરવાનો કાર્યક્રમ ચાલુ રહેલ જેમાં અંગદાનના ૯ ચક્ષુદાનના ૧૩ તથા દેહદાનના ૧૧ સંકલ્પ પત્રો એટલે કે કુલ ૩૩ સંકલ્પ પત્રો ભરાયા હતા.

આ કેમ્પમાં ચેરમેન ઉમેશ મહેતાની સાથે મેનેજીંગ ટ્રસ્ટી દેવી મહેતા, ખજાનચી વિનુભાઇ પરમાર તથા સક્રિય કાર્યકર મયુરભાઇ નકુમે જહેમત ઉઠાવી આ કાર્યને સફળ બનાવ્યો હતો. આ તકે સાઇબાબા મંદિરના રાકેશભાઇ ગાંધી તથા પરિવારનો આભારી વ્યકત કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.