Abtak Media Google News

શાળાઓ દ્વારા પ્રભાત ફેરી નીકળી: સ્વચ્છતા કાર્યક્રમમાં મહાનુભાવોએ કરી સાફ-સફાઇ.

પૂ. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી શહેરના ટાઉનહોલમા સર્વ ધર્મ ર્પ્રાના સભા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષ સને યોજાય હતી.

સૌ પ્રથમ મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા, મેયરશ્રી હસમુખ જેઠવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી સુભાષભાઈ જોષી, શાસક પક્ષના નેતાશ્રી દિવ્યેશભાઈ અકબરી, કલેકટરશ્રી રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પરિક,  મ્યુનિસિપલ કમિશ્નર શ્રી રણજીતસિંહ બારડ, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા દ્વારા ટાઉનહોલના પટાંગણમાં આવેલ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટીનો હાર પહેરાવવામાં આવેલ હતો.

મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું કે, પૂ. મહાત્મા ગાંધીજી આ ધરતીના સપૂત છે જેમણે સમગ્ર દેશને આઝાદ કરવા માટે કાર્ય કરેલ હતું. પૂ. બાપુનું નામ કાયમ માટે અમર રહેવાનું છે.

Img 0765લોકો ખાદી પહેરતા થાય, લોકોમાં ખાદી પ્રત્યે જાગૃતતા આવે તે માટે મુખ્મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ તાજેતરમાં જ ગાંધી જયંતિને અનુસંધાને  ૨જી ઓકટોબર થી ૩૧ ડિસેમ્બર સુધી  ખાદીમાં ૨૦ ટકા વળતરની જાહેરાત કરેલ છે તેમ  મંત્રીશ્રીએ  વધુમાં ઉમેર્યું હતું. ટાઉનહોલ ખાતે કાર્યક્રમમાં ઉપસ્તિ વિર્દ્યાીઓ દ્વારા ર્પ્રાના ગીતો અને ગાંધીજી વિષે પોતાના વકતવ્યો રજૂ કરેલા હતા.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી કરશનભાઈ કરમુર, શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઈ હિંડોચા, કોર્પોરેટર શ્રીઓ, પ્રાંત અધિકારી જામનગર શહેર શ્રી સોલંકી, પુરવઠા અધિકારી શ્રી જાડેજા, રમત ગમત અધિકારી શ્રી વાળા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કણસાગરા, પ્રામિક શિક્ષણાધિકારી શ્રી પટેલ, શહેરની વિવિધશાળાના બાળકો તથા શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.

Img 0732ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતી નિમીતે  વિવિધ શાળાઓના વિર્દ્યાીઓ દ્વારા યોજાયેલ પ્રભાતફેરીને પ્રસન કરાવતા મેયરશ્રી હસમુખભાઇ જેઠવા,  સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષ જોષી, કલેકટરશ્રી રવિ શંકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પારીક, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બારડએ લીલી ઝંડી આપીને આ રેલીને સવારે ૦૭:૦૦ કલાકે ક્રિકેટ બંગલા ખાતેી પ્રસન કરાવેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.