Abtak Media Google News

જામનગર એરફોર્સમાં આજે જગુઆર ફાઇટર પ્લેન ફરી દુર્ઘટનાગ્રસ્ત થયું છે. પરંતુ ઘટનામાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી. પ્લેન દુર્ઘટનાગ્રસ્ત બને તે પહેલા જ પાઇલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. પાઇલટને ઇજા પહોંચતા એરફોર્સની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. એજન્સીના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ પ્લેન રન વે પર 500 ફૂટ સુધી ઢસડાયું હતું. આ ઘટનામાં એરફોર્સને કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

ઉતરાણ પહેલા પાઇલટને પ્લેનમાં ખામી હોવાનો અંદાજ આવી ગયો હતો

વાયુસેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ ઘટના આજે સવારે 9.20 વાગે બની હતી. પ્લેન ઉતરાણ પહેલા પાઇલટને પ્લેનમાં ખામી હોવાનો અંદાજ આવી ગયો હતો. આથી પાઇલટે પોતે સુરક્ષિત રીતે બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.