Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરના શોપિયાના અરાહામામાં આતંકવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો આ હુમલામાં 4 પોલીસ જવાન શહીદ થયા. હુમલો કરનારા આતંકીઓ કોણ છે તેની જાણકારી હજુ મળી શકી નથી.

આ પહેલા આજે સવારે અનંતનાગના મનવાર્ડમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા. આતંકીઓ પાસેથી હથિયાર અને એમ્યુનિશન્સ મળી આવ્યા. પોલીસ, આર્મી અને સીઆરપીએફના જવાનોએ આ ઓપરેશન ચલાવ્યું હતું. હાલ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જિલ્લામાં મોબાઈલ ઇન્ટરનેટની સુવિધાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.