Abtak Media Google News

સુરેન્દ્રનગર – દૂધરેજ નગરપાલિકા હદ વિસ્તારના રતનપરમાં આવેલા જોરાવરનગર પોલીસ સ્ટેશન પાછળના વિસ્તારમાં જાબુંવત હનુમાન ગલીમાંથી નોવેલ કોરોનના વાયરસના બે પોઝીટીવ કેસ આવતા જાબુંવત હનુમાન ગલી કે જેમાં હેલ્થ વિભાગ દ્વારા થયેલ સર્વે મુજબ ૮ ઘરોની ૩૭ વસ્તીના સમગ્ર વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવેલ  છે તથા આ વિસ્તારમાં  તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પુરૂ પાડવામાં આવશે.

આ વિસ્તારના એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે, આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ જાહેરનામાની અમલવારી તા.૧૫-૬ સુધી કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.