સંત જલારામ બાપાની ૨૧૮ની જન્મજયંતિ નિમિતે જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મુખ્ય રથમાં બિરાજેલા સંત જલારામ બાપાના દર્શન કરી હજારો ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. શોભાયાત્રા સાથે મહાપ્રસાદ, સંગીત સંધ્યા, અન્નકુટ અને ભજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા ચોમેર જય જલિયાણનાં નાદથી શહેર ગુંજી ઉઠ્યું હતુ ૨૫થી વધુ આકર્ષક ફલોટસ સાથે જલારામ બાપાની શોભાયાત્રાનું ચૌધરી હાઈસ્કુલ ખાતેથી પ્રસ્થાન કરાવાયું હતુ થલેસેમીયાગ્રસ્ત બાળકોનાં લાભાર્થે રકતદાન શિબિર પણ યોજાઈ હતી. શહેરનાં બાલભવન ખાતે જલારામ બાપાની ૨૧૮ ઈંચની પ્રતિમા પણ મુકવામાં આવી છે. જેના દર્શનનો લાભ ભાવિકો બહોળી સંખ્યામાં લઈ રહ્યા છે.
Trending
- “કહી પે નિગાહે કહી પે નિશાના”, પ્રેમમાં આ બાબત કેટલી યોગ્ય ???
- ઉનાળામાં વારંવાર ઉનવા થવાનું કારણ શું છે?જાણો ઘરગથ્થુ ઉપચાર
- ઉનાળામાં દૂધને બગડવાથી બચાવવા માટે અપનાવો આ ટીપ્સ, ફ્રિજની પણ જરૂર નહીં પડે
- સુરત:ડાયમંડ બુર્સને ધમધમતું કરવા કમિટીના પ્રયાસ
- સુરતના નવા પોલીસ કમિશનરની ગુનેગારો સામે લાલ આંખ
- કચ્છના નાના રણ માટે શિક્ષણ વિભાગે શરૂ કરેલી બસોની હાલત ગંભીર
- સાવધાન!!! સુરતમાં ડુપ્લીકેટ ખાદ્યતેલ વેચાણનું કૌભાંડ ઝડપાયું
- 20 થી વધુ કાર ભાડે લઇ હડપ કરી જનાર ઠગ બેલડી હાથવેંતમાં