સંત જલારામ બાપાની ૨૧૮ની જન્મજયંતિ નિમિતે જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મુખ્ય રથમાં બિરાજેલા સંત જલારામ બાપાના દર્શન કરી હજારો ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. શોભાયાત્રા સાથે મહાપ્રસાદ, સંગીત સંધ્યા, અન્નકુટ અને ભજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા ચોમેર જય જલિયાણનાં નાદથી શહેર ગુંજી ઉઠ્યું હતુ ૨૫થી વધુ આકર્ષક ફલોટસ સાથે જલારામ બાપાની શોભાયાત્રાનું ચૌધરી હાઈસ્કુલ ખાતેથી પ્રસ્થાન કરાવાયું હતુ થલેસેમીયાગ્રસ્ત બાળકોનાં લાભાર્થે રકતદાન શિબિર પણ યોજાઈ હતી. શહેરનાં બાલભવન ખાતે જલારામ બાપાની ૨૧૮ ઈંચની પ્રતિમા પણ મુકવામાં આવી છે. જેના દર્શનનો લાભ ભાવિકો બહોળી સંખ્યામાં લઈ રહ્યા છે.
Trending
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભગો! એમ.કોમ-4ની પરીક્ષાના બે ટાઈમ ટેબલ
- અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ સમાજ માટે જોખમી
- ગોકુલ હોસ્પિ.માં આધુનિક AI ટેકનોલોજી સાથેના એમ.આર.આઈ. મશીનનું ભાઈશ્રીના હસ્તે ઉદ્ઘાટન
- ક્ષત્રિય સમાજ સાથે 24 કલાકમાં જ સુખદ સમાધાન: સી.આર.પાટીલ
- IPL 2024 : SRH vs MIના મેચમાં તૂટ્યા આ રેકોર્ડ્સ…
- અદાણી પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં ભાગીદારી વધારી
- Godzilla x Kong બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર…….
- વાંકાનેરના દિઘલીયા ગામે માતા-પિતા અને બહેનના હાથે પ્રેમાંધ સગીરાની હત્યા