Abtak Media Google News

પૂ. નમ્રમુનિ મ.સા.ના જન્મ દિવસ નિમિત્તે

જૈન વિઝન દ્રારા રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના જન્મ દિવસ આવી રહ્યો હોય માનવતા મહોત્સવ અંતર્ગત અનેક સેવાકીય પ્રકલ્પો સાકાર થઈ રહ્યાં છે.ગત રવિવારે ટીમ જૈન વિઝન દ્રારા સંસ્થા નગરી રાજકોટની વિવિધ સંસ્થાઓ અંધ મહિલા વિકાસ ગૃહ,વિરાણી બ્હેરા – મૂંગા શાળા, રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ, ગુંદાવાડી હોસ્પિટલના દર્દીઓ, પાંજરાપોળમાં કામ કરતાં શ્રમિક પરિવારના બાળકો, વિવિધ મંદિર બહાર બેસતા ભિક્ષુકો વગેરે ને  દાતા  આશીષભાઈ મહેન્દ્રભાઈ મહેતા પરીવારના સૌજન્યથી પોષ્ટીક આહાર કરાવી જઠરાગ્નિ ઠારી પૂણ્ય ઉપાજેનનું સદ્ કાયે કરવામાં આવેલ. આ સેવાના સદ્ કાયેમાં ટીમ જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી તથા દિપક પટેલ, ધીરેન ભરવાડા, રાજીવ ઘેલાણી, નીતિન મહેતા, જીજ્ઞેશ બોરડીયા, પારસ વખારીયા, કલ્પેશ દફ્તરી, વિપુલ મહેતા, કેતન વખારીયા, પંકજ મહેતા, દીપેશ વખારીયા, નેવિધ પારેખ, હિમાંશુ પારેખ, હિતેષ મણિયાર વગેરે કમિટી મેમ્બરો જૈન વિઝનની સેવાકીય સરવાણી ચાલુ રાખવામાં નિમિત્ત બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.