Abtak Media Google News

જૈન એલર્ટ ગ્રુપ ની સ્થાપના પ.પૂ. હેમરત્નસુરીમહારાજેે કરેલ છે. હાલ પૂ. રત્નસુંદરવિજયજી મહારાજ દેખરેખ હેઠળ સેવાનાં કાર્યો થઇ રહ્યાં છે. જૈન એલર્ટ ગ્રુપ ઓફ રાજકોટ દ્વારા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં ગૌમાતાઓને ૧૦૦ કિલો લાડવા અર્પણ કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે જૈન એલર્ટ ગ્રુપ દ્વારા ગત રવિવારે એક સાથે આખા ભારતભરના રપ૦ થી વધુ વધારે જગ્યાએ એક યા બીજા રીતે સેવાકાર્ય કરવામાં આવ્યુેં છે. જૈન એલર્ટ ગ્રુપ ઓફ રાજકોટના કાર્યક્રમને સફળ બનાવવા માટે વિરેન્દ્રભાઇ સંઘવી, કમલેશભાઇ મોદી (રેસકોર્ષ ઉપાશ્રયનાં ટ્રસ્ટી) હીનાબેન સંઘવી, પાર્થ સંઘવી, કમલભાઇ શાહ, કમલેશભાઇ ગઢેચા, નીશાબેન મહેતા, વૈશાલીબેન શાહ, નીધીબેન કેતનભાઇ સંઘવી, હેમા મોદી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.