Abtak Media Google News

માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આહ્વાન અનુસાર રાજ્ય સરકાર દ્વારા તા.૧-મે એ ગુજરાત સ્થાપના દિનથી સમગ્ર ગુજરાતમાં જળાશયો-તળાવો ઉંડા ઉતારવા મહાકાય જળસંચયઅભિયાન હાથ ધરવામાં આવેલ છે તે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧થી લાલપરી-રાંદરડા તળાવ ઉંડા ઉતારવા ઉપરાંત આજી નદી શુદ્ધિકરણ અને વોંકળા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. જેમાં તા. ૫-૫-૨૦૧૮ ના રોજથી માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૈયામાં સ્માર્ટ સિટી એરિયામાં સ્થિત રેસકોર્ષ-૨ ખાતે તળાવો ઉંડા કરવા માટેના ભગીરથ કાર્યનો પ્રારંભ કરવામાં આવેલ હતો. દરમ્યાન આજે મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ રૈયામાં સ્માર્ટ સિટી એરિયામાં સ્થિત રેસકોર્ષ-૨ ખાતે તળાવની મુલાકાત લીધી હતી.

જયારે ડે.મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, દંડક રાજુભાઈ અઘેરા, વોટર વર્કસ સમિતિના ચેરમેન દલસુખભાઈ જાગાણી, આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, બાંધકામ સમિતિના ચેરમેન મુકેશભાઈ રાદડિયા, કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, અગ્રણી અરવિંદભાઈ ભેંસાણીયા, મનસુખભાઈ જાદવ વગેરેએ આજી નદી અને રાંદરડા તળાવની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી. આ મુલાકાતો સમયે સિટી એન્જિનિયર ચિરાગભાઈ પંડ્યા, એડી. સિટી એન્જિનિયર એચ. યુ. દોઢિયા, ડી.ઈ.ઈ. એમ.આર.વાસ્તવ અને એસ.બી. છૈયા, તેમજ નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ વગેરે હાજર રહયા હતાં.

આ અભિયાન અંતર્ગત રૈયા સ્માર્ટ સિટી લેઈકમાંથી કુલ ૫૯ જેસીબી, ૧ હિટાચી, ૭૮ ટ્રેકટર અને ૧૯ ડમ્પરની મદદ સાથે માટી/કાંપ કાઢવામાં આવી રહયો છે. જ્યારે લાલપરી-રાંદરડા તળાવ ખાતે ૭ જેસીબી, ૩૦ ટ્રેક્ટર અને ૪ ડમ્પરની સહાયતાથી માટી કાઢવામાં આવી રહી છે, અને આજી નદીમાં ૭ જેસીબી અને ૨ હિટાચી અને ૩ ડમ્પરની મદદથી સઘન સફાઈ અને અન્ય કામગીરી કરવામાં આવી રહી છે.

આમ એકંદરે જોઈએ તો ૭૩ જેસીબી. ૧૦૮ ટ્રેક્ટર, ૨૬ ડમ્પર અને ૩ હિટાચી સહિતના વાહનો દ્વારા કામગીરી થઇ રહી છે. અત્યાર સુધીમાં થયેલ કામોનું નાણાંકીય મૂલ્ય આશરે રૂ.૫૫ લાખ જેવું થઇ રહયું છે. જ્યારે આ સાઈટ્સ ખાતેથી કુલ ૬૩,૪૯૦ ઘન મીટરથી વધુ કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. દરમ્યાન આજી નદીમાં ખાડામાં ભરતી નાખી, ખાડા બુરી નાખવામાં આવેલ છે. તેમજ રામનાથપરા મંદિરથી ઇન્દીરા બ્રિજ સુધી કેનાલ બનાવી પાણી ડાઈવર્ટ કરવાનું કાર્ય થયેલ છે. આ ઉપરાંત નદીમાંથી વેલ કાઢવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે દવા છટકાવની કામગીરીની સાથોસાથ ભરતી પણ ઉપાડેલ છે.

ઉપરોક્ત ત્રણેય સાઈટ્સ ખાતે અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી થઇ રહી છે, અને સાઈટ વિઝિટ દરમ્યાન કમિશનર અને પદાધિકારીઓએ કામની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને આવશ્યક સૂચના પણ આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.