Abtak Media Google News

ભાજપ અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહે કરેલા માનહાનિના દાવાને લઇને આજે સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે. એક ખાનગી ન્યૂઝ વેબસાઇટ સામે કરેલા રૂપિયા 100 કરોડના માનહાનિના કેસમાં મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. THE WIRE નામની ખાનગી ન્યૂઝ વેબસાઇટના એડિટર અને મેનેજર એડિટર રોહિણીસિંહ તથા સિદ્ધાર્થ વર્ધરાજન વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.

આ વેબસાઇટે જય શાહની કંપની મુદ્દે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. કંપનીના ટર્ન ઓવરને લઇને અહેવાલ રજૂ કરવાની સાથે અમિત શાહના પુત્ર જય શાહ સામે કેટલાક આક્ષેપો લગાવ્યા હતા. જેના બાદ જય શાહે તેના પર બદનક્ષીનો દાવો માંડ્યો હતો. આ મામલે મેટ્રો કોર્ટે આજે બપોરે 3 કલાકે સાક્ષી રજૂ કરવાનો આદેશ કર્યો હતો. તેમજ તપાસ કરાવવાનો પણ આદેશ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.