Abtak Media Google News

જૂનાગઢ ગીરનાર ફરતે યોજાતી લીલી પરિક્રમામા પ્રતી વર્ષ 8 લાખ જેટલા ભાવિકો પરિક્રમા કરવા પધારે છે ત્યારે હજૂ પરિક્રમાચાલુ થતાં, ત્યા પરીક્ર્મર્થી ઓ જૂનાગઢ તરફ ટ્રેન ઉપર બેસીને આવતા જોવા મળે છે ભાવિકો જીવના જોખમે ટ્રેન ઉપર બેસીને પરિક્રમા આવી રહયા છે, હાલ પરિક્રમા રૂટ ઉપર સતત માનવ મેહરામણ જોવા મળી રહયો છે ત્યારે વહીવટી તંત્ર સજ્જ થયુ છે પરિક્રમામા કોઈ અનીછીય બનાવના બને તેના માટે ત્રણ જિલ્લાની પોલીસ દ્વરા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવમાં આવ્યો છે.

ગીરનારની લીલી પરિક્રમા 36 km પગપાળા ચાલીને કરવામા આવે છે, ત્યારે દેશભરમાંથી લાખોની સંખ્યામા ભાવિકો જોડાય છે, ગીરનારની લીલી છમ વનરાઇ વચ્ચે અને કુદરતી વાતવરણમા ભકિત સાથે પરિક્રમા કરવા પધારે છે જય ગીરનારીના નાદ સાથે સતત પરિક્રમા રૂટ ઉપર ભાવિકો નો ઘસારો જોવા મળી રહયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.