Abtak Media Google News

ભુતકાળમાં આંતકવાદી હુમલા થયેલ તેમાં આંતકવાદીઓ દ્વારા દરીયામાંથી પોરબંદરની “કુબેર” નામની બોટનું અપહરણ કરી આતંકી હુમલાને અંજામ આપેલ હોવાનું જણાયેલ છે. જેથી વાતાવરણીય કારણોસર/ચાચીયાઓ દ્વારા અપહરણ થવાના કારણોસર કે અન્ય કોઇ કારણોસર વહાણ/બોટ ગુમ થયા અંગેની તથા વહાણ/બોટ સાથેનાં સંપર્ક ન થતો હોવા અંગેની જાણ કરવા અંગેની પ્રથા/નિયમો હોવા રાષ્ટ્રીય સુરક્ષાની બાબતે જરૂરી છે. તેમજ આવી ઘટનાઓ અટકી શકે તે માટે સમગ્ર ગીર-સોમનાથ જિલ્લામાં આવેલ વહાણ/બોટ માલીકે જ્યારે પોતાનું વહાણ/બોટ માચ્છીમારી માટે દરિયામાં જાય અને કોઇપણ કારણસર વહાણ/બોટ પરત આવવાની સંભવિત તારીખથી સતત સાત દિવસ સુધી સંપર્ક સ્થાપવા પ્રયાસ કરવા છતા સંપર્ક થતો ન હોય, ત્યારે સંબંધિત તમામ સરકારી એજન્સીઓને જાણ કર્યા સીવાય બોટ દરીયાની અંદર ન જાય તેવું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.

ગીર-સોમનાથ જિલ્લો વિશાળ દરીયા કિનારો ધરાવે છે અને મોટા પ્રમાણમાં માચ્છીમારી માટે બોટો દરીયામાં જાય છે. જેથી બોટો સાથે જતા લોકોની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીનાં પગલા લેવા આવશ્યક જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, એચ.આર.મોદીએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂઇએ હુકમ કરી ગીર-સોમનાથ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં કોઇ બોટ માલીક અગર તો બોટ ભાડે રાખનાર કે અન્ય કોઇ બોટ દરીયામાં લઇ જનાર વ્યક્તિ બોટ દરીયામાં લઇ જાય અને કોઇપણ કારણસર વહાણ/બોટ પરત આવવાની સંભવિત તારીખથી સતત સાત દિવસ સુધી સંપર્ક સ્થાપવા પ્રયાસ કરવા છતા સંપર્ક થતો ન હોય તેવા સંજોગોમાં નિયત નમુનાનાં પત્રકની વિગત સહની માહીતી સાથે નજીકનાં પોલીસ સ્ટેશન અને સબંધિત તમામ સરકારી એજન્સીઓને જાણ કરવી ફરજીયાત છે.

આ હુકમ તા. ૬ જૂન થી દિવસ –૬૦ માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહીતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.