Abtak Media Google News

ઓશો સંન્યાસીની ડો.માધવી પંચાલ સાથે ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ‘બેક ટુ રૂટ’ વિષય પર ચર્ચા

ઓશો સમય કરતા ૫૦૦ વર્ષ પહેલા જ આવી ગયા હતા

લોકોએ ‘ઇન્ટરનલ બ્લોકેઝીસ’ને પોતાનામાંથી નાબૂદ કરવું જોઇએ

પોતાના માટે જીવવું તે એક નિજાનંદ છે: ડો.માધવી પંચાલ

ઇન્ટરનલ બ્લોકઝીસ જ માનવીની તમામ સમસ્યાનું મુળ હોવાનું અબતક ચાય પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન ઓશો સન્યાસીની ડો. માધવી પાંચાલે કહ્યું હતું તેમણે ઓશો અને તેમના વિચાર અંગે ‘બેક ટુ રૂટ’ વિષય ઉપર રસપૂર્વક વિગતો આપી હતી.

પ્રશ્ન:- ઓશોને જેટલી વાત કરીએ તેટલી ઓછી છે અમારા પ્રોગ્રામનું નામ આપ્યું છે. બેક ટુ રૂટ મતલબ આપણું રૂટ શુેં છે ? જે વૃક્ષ છે. જળોથી જ જુડી રહેશે. તો વૃક્ષ કેવી રીતે ટકી શકે. મેં સંસ્કૃતિક વાત આવે તો એક સમય એવો હતો. કે ઓશોને લોકો એવું સમજતા હતા કે ઓશો શું છે. તો આપ જણાવો કે ઓશો નો તમારો અનુભવ કેવો રહ્યો ? અને આપે ઓશોને કઇ રીતે જોયા છે?

જવાબ:- ઓશો પોતાના સમય પહેલા આવીને ચાલ્યા ગયા તે પોતાના સમયના ૫૦૦ વર્ષ પહેલા જ આવી ગયા. તેઓ વિચાર અને રિવલ્યુશન પહેલા આપણા હિન્દુસ્તાન સમાજ હજાર વર્ષોથી જજીંરોમાં બંધાયેલા છે. તેમણે બોલેલી વાતો ઉપર સમાજ તૈયાર ન હતા. આપણું અત્યાર સુધીનું કલ્ચર રહ્યું છે.

ત્યારથી અત્યાર સુધીનું દબાણ અને દમનની વસ્તુઓને બઢાવા દેવામાં આવ્યું છે. તે પછી ભાવના હોય કે વિચાર હોય, મનુષ્યની અભિવ્યકિત વિભિન્ન પ્રકારની હોય છે. એક દમન, ભવન, દમનનો મતલબ છે. તમે જે કહેવા માંગો છો તેના માટે તમને છુટ (ફિડમ) નથી. અભિવ્યકિતની સ્વતંત્રતા તમને નથી.

સંવિધાનમાં છે. પરંતુ તમે કોઇપણ વાત બોલો પોતાને પતિને ફીલીંગસ શેર કરે તો તરત જ ઓબજેકશન આવે સમાજની અંદર તમારે કોન્ટ્રોવર્સી ભોગવવી પડશે. તો સપ્રેશ કરો દમન કરો દમન કરવાથી આજે આપણા સમાજમાં હાર્ટના ડિપ્રેશનના કેસ અમેરીકા પછી ભારત અક એવો દેશ બનવા જઇ રહ્યો છે કે જયાં સૌથી વધુ ડિપ્રેશનના કેસ તૈયાર થઇ રહ્યાં છે. સૌથી વધુ સાઇકાસ્ટ્રીકની જરૂરત અહિયા થવાની છે. કોઇપણ બિમારી પહેલા મેન્ટલ બોડીમાં આવે છે.

પછી તે ફિઝીકલ બોડીમાં આવે છે. મેન્ટલ બોડીમાં કેવી રીતે આવે ? જે આપણા વિચાર સપ્રેસ કરવામાં આવ્યા છે. તે વિચાર ગ્રંથી બની જાય છે. તે ભાવના આપણી ગ્રંથી બની ગઇ છે. દાખલ તરીકે કોઇની ગીલ્ટ છે તેણે કોઇ સાથે શેર નથી કરી અને તે ગીલ્ટ પણ નાકાયદ છે. તે ગીલ્ટનું કારણ પણ નથી તો પણ વ્યકિતને ગીલ્ટનું કારણ પણ નથી.

તો પણ વ્યકિતને ગીલ્ટ થઇ ગઇ તો તે ગ્રંથી બની ગઇ અને બ્લોક બની ગયું. બોડીની અંદર તેવી જ રીતે ડર છે. તો તેનો પણ બ્લોક બને છે. તેની સિવાય ઇનસિકયોરીટી તે પછી સર્વાઇવલને લઇને હોય, કે સંબંધોને લઇને હોય અથવા સ્વીકૃતીને લઇને હોય, જયારથી મનુષ્યનો જન્મ થયો છે. ત્યારથી તેણે એવું વિચારવાનું શરૂ કર્યુ છે.

કે સ્વકૃતિ મળશે કે નહિ જયારે સ્વીકૃતિ આવે તો માણસ ખુશ થાય. પરંતુ સ્વીકૃતિ ન આવે તો બ્લોકે જ થાય છે. પુરૂષોમાં મહીલાઓની સરખામણીમાં વધુ બ્લોકેજ છે. કારણ કે પુરૂષોની જે ગ્રંથી છે. જેવું કે આંસુ નીકળે છે. તે બહુ ઓછું કામ કરતું હોય છે તે હોર્મોન્સ સોસાયટીમાં અલાઉડ નથી.

એક સ્ટીરીયો ટાઇપ બની ગયું છે કે મેન્સ નોટ ક્રાઇ પુરૂષ રોવે નહિ. અગર પુરૂષને રોવું જ ન હતું તો તેને ત્યાં તે ગ્રંથી સાથે જ શા માટે મોકલ્યા. તેને તે હોર્મોન્સ રિલિઝ કરવા માટેનું ફંકશન હોવું  ના જોઇએ. એક તરફ મહીલાઓ રડી લે ત્યાં જે સ્ટેસ અને બ્લોક હતું કે નીકળી ગયું. બિજું તે શેરીંગ કરે છે.

આવો બેન ચૂગલી કરે વાલા સિસ્ટમ તેનાથી તેના બધા ઇમોશન રીલીઝ થઇ જાય છે. પુરૂષ ન તો શેરીૅગ કર ન તલ રોવે જેથી હ્રદય રોગ પુરૂષને વધુ થાય છે. સ્ત્રીની જીવવાની ક્ષમતા પુરૂષના મુકાબલે વધુ છે. પુરૂષ ૬૦ વર્ષ મુશ્કેલીથી જે એવરેજ નીકળીને આવે તે મુજબ પુરૂષ ૬૦ થી ૬૫ વર્ષ અને સ્ત્રીઓ ૮૫ વર્ષ સુધી જીવે છે.

તેનું મેઇન કારણ એ છે કે ઇમોશ્નલ બ્લોકે જ અને મેન્ટલ બ્લોકેજ છે. તો અંદરથી એટલા આપણી અંદર પથ્થર ભરી દે છે. તેથી એનર્જી ફલો અટકી જશે માની લો કે મેંઇન જગ્યાએથી પાઇપમાંથી પાણી સ્પલાય થઇ રહ્યું હતું. પાણીનું ત્યાં કચરો ફસાય ગયો તો પાણી આગળ નહી જાય તો પાણી આગળ નથી જતું તો જીવન ખત્મ પુરૂષના બોડીની અંદર એવા ઘણા પોઇન્ટસ છે જે બ્લોક પડયા છે. ત્યાં એનજી ફલો નથી થતો તેથી તે ધીરે ધીરે વધી વધીને બહુ મોટો બ્લોકેજ થઇ જાય છે. અને અંતમાં તે મૃત્યુ પામે છે.2 101પ્રશ્ન:- બેક ટુ રૂટ ની વાત કરીએ તો લોકો પોતાની જળોને ભૂલી ગયા છે. આપણી જે સંસ્કૃતિ હતી. તેને ભૂલી ગયા છીએ વિદેશી ગુરૂઓનો આપણે સ્વીકાર કરીએ છીએ. તો આ પ્રોઝીશનને કઇ રીતે નિવાડી શકીએ?

જવાબ:- આપણા હિન્દુસ્થાનનું જે કલ્ચર છે હું હિન્દુસ્તાનને ખરાબ નથી કહેતી આપણા હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં પ્રથા રહી છે. જેવી કે પડદાપથા, સતી પ્રથા, તો તેની માનસીકતા શું છે ? હિંસાની માનસીકતા અંગ્રેજો આવ્યા તો આપણે તેને ખરાબ કહીએ છીએ.

હું અંગ્રેજીની હિમાયતી નથી પરંતુ અંગ્રેજો ઘણી ખરી વસ્તુઓ આપણા સોશ્યિલ રીફોમેશન કરી છે આપણને સોશ્યિલ રીતે રીફોર્મ કર્યુ છે. આપણે સાયન્ટીફીક રીતે બહુ એડવાન્સ છીએ. પુરા વિશ્વના ગુરુ આપણે જ છીએ. હિન્દુસ્તાન હિન્દુસ્તાની જેટલી ટેકનોલોજી  આપી છે તે પુરા વિશ્વમાંથી કોઇએ આપેલ નથી.

પરંતુ આપણું જે સોશ્યિલ સ્ટ્રકચર છે. તે હજી નાના બાળક જેવું છે તે હજુ શીખી રહ્યા છે. આપણે અત્યારે પણ માણસ થવાનું શીખી રહ્યા છીએ. સામાજીકતા આપણે હજુ શીખી જ નથી.  નહિંતર અહિંયા આટલા બળાત્કાર, આપઘાત, આટલી પ્રથા આવે બંધ થાય સામાજીક સંસ્થા આવે બંધ થાય આટલા ગુરૂઓનું અહિંયા આવું કથા કરવી. અહિંયા જેટલા સ્પીરીચ્યુઅલ માસ્ટર  જેટલા હિન્દુસ્તાનમાં જે તે બીજે કયાંય પણ નહિ હોય તો પણ સૌથી વધુ ક્રાઇમ આપણે ત્યાં એનો મતલબ આપણે કયાં ભૂલ કરી રહ્યા છીએ.

આપણે હજુ સુધી સોશિયોલીઝમ શિખ્યું જ નથી. સોશિયોલીઝમમાં હોવું શું જોઇએ. ફિડમ હોવી જોઇએ બધા માણસોની જે જેવી રીતે જીવવા માંગે છે.  તો તેને તેવી રીતે જીવવાની આઝાદી આપવામાં આવે (બસરતે) ફિડમ રીસ્પોન્સીબ્લીટી લઇને આવે તમારી ફિડમ ત્યાં ખત્મ થાય છે જયાં બીજાની ફિડમ શરૂ થાય છે. તમારી ફ્રિડમથી બીજાની નિષ્ઠાનું હનન ન થવું જોઇએ તે ફિડમ તમે જીવતા શીખી જાવ, આપણી સ્કુલમાં મોરલ વેલ્યુ તો શિખવાડવામાં આવે છે.

કે નૈતિક બનો. પરંતુ લાઇફ કેવી રીતે જીવવી જોઇએ તે શ્ખિવાડવામાં આવતી નથી. મશીનને કંઇ રીતે ઓપરેટ કરવાનું તેની ટેકનીગ એન્જીનીયરીંગમાં આપવામાં આવે પરંતુ જિંદગીને કઇ રીતે જીવવાની તેની કોઇ ટ્રેનીંગ આપવામાં આવતી નથી. કેવી રીતે ટ્રેનીંગ આપવામાં આવતી નથી.

કેવી રીતે જીવવી છે. જીંદગી એક વખત મળી છે. જીંદગી બીજી વખત નહી મળે મળશે કે નહિ તે પણ ખબર નથી. સ્વર્ગ કોણે જોયું છે. મૃત્યુ પામ્યા પછી કયારે કોઇ સાથે વાત થઇ છે. કોઇની જે જીવીત છે તેની સાથે તો વાત કરી લ્યો પહેલા બહાર વાળા સાથે તો પછી વછાતો કરવી પહેલા પોતાની સાથે તો વાતો કરી લ્યો. ઘરવાળાને પણ છોડી દયો પહેલા પોતાની જાત સાથે તો વાત કરી લ્યો. આપ પોતાના કોન્ટ્રાડિકશનમાં જીવીએ છીએ. હદથી વધુ કોન્ટ્રાડિકશન છે.

પ્રશ્ન:- આજે એલજીબીટીકયુની વાત આવે છે તે બધું શરૂ થયું છે. તેને આપ કઇ રીતે જોવો છો ?

જવાબ:- તે આદિકાળથી ચાલતું આવ્યું છે ૩૭૭ ની વાત કરો છો. તે મહાભારત કાળથી ચાલ્યું આવે છે. અર્જુનનો પ્રસંગ આપ જોઇ લ્યો.  આ બધી વસ્તુ સમાજમાં થતી જ હતી તે વધુ ઇસ્યુની વાત નથી. તે એકસેપશન કેસ છે. એક બે કેસ છે.

પુરી આબાદીના ૧ ટકા માની લ્યો. ૯૯ ટકા આબાદી છે. તેની બેઝીક સમસ્યા છે. તેનું શું? જે તે વ્યકિત જેવી રીતે જીવવા માગે તેના માટે તેને પૂરી સ્વંત્રતતા  છે. તે તેની પર્સનલ લાઇફ છે. દરેક વ્યકિતને પોતાની પર્સનલ પોતાની રીતે જીવવાનો અધિકાર છે. આ બાબતમાં આપણે દબલના દઇ શકીએ

પ્રશ્ન:- અત્યારે જે સંસ્કૃતિની વાત આવે તો પુરા વિશ્વમાં ઓશો પહેલા શરૂઆતમાં ઇન્ડિયામાં હતા તો લોકો તેને બિલિવ ન હોતા કરતા તેને દર દર કિ ઠોકર ખાધી છે શું આપ માનો છો કે ઓશોનો જન્મ પ૦૦ વર્ષ પછી થવો જોત કારણ કે લોકો હાલ એટલા પરિપકવ નથી ?

જવાબ:- આપણા હિન્દુસ્તાની લોકો આપણે ઋષી  પરંપરાને બિલોગ કરીએ છીએ અને તે આપણા માટે ગર્વની વાત છે. હજારો વર્ષ પહેલા ઋષીઓએ પોતાના ગ્રંથોમાં લખેલ હતી. જેના પર નાશા આજે કામ કરે છે. અમેરિકા જેના પર આજે રિસર્ચ કરે છે. આપણા સંસ્કૃતના ગ્રંથ છે. સંસ્કૃત આચાર્ય તેઓ આજે નાશામાં બેઠા છે. અને આપણી  ટેકનોલોજી તેને આપે છે. આપણું કલ્ચર લીમીટેડ લોકોની પાસે હતું. આપણું સીકેટ નોલોજ તે ૧ ટકા લોકોની પાસે હતી. ઋષીઓએ આગળ તેને ટ્રાન્સફર નથી કર્યુ. તેણે શા માટે ટ્રાન્સફર  નથી કર્યુ એ તેઓ જાણે કારણ કે તેમણે પાત્ર મળ્યું ન મળ્યું હતું.

પરંતુ આમ જનતા છે આપણા જેવા લોકો તેને તો કંઇ જ નથી ખબર તે તો પુસ્તક વાંચે છે અને તમારી પાસે પુસ્તક પુસ્તકની જેમ કામ કરી શકે. પ્રેકટીકલ ન કરી શકે. તે એક થિયરી છે. તમે તેના પર પ્રયોગ કરશો અને પછી સફળ થશો કે નહિ થાવ. માની લ્યો કે વિમાન બનાવવું છે.

તો ટેકનોલોજી હતી તો તે પુસ્તકમાં લખ્યું છે. તમે જેવું છે તેવું તો નહી બનાવી અલગ કોઇ ગાઇડ કે માસ્ટર હશે તો બનાવી શકશો. તો તે સેઇમ સ્પીરીચ્યુઆલીટી માઁ મોરલ જીવનમાં થયું.

ઋષીઓએ જીવનનું જે સૂત્ર આવ્યું તે પ્રેકટીકલ જે ફોલોવર્સ હોવા જોઇએ. અને તે આગળ ટ્રાન્સફર કરતા વસ્તુઓને તો તે એક ઇંટ ઇઝ પ્યોર ફોર્મમાં આપણી પાસે આવેલ વસ્તુઓ પરંતુ બ્લોક કોણે બંધ કરી દીધું ઋષીઓએ તો આમ જનતા તો થિયરી ભણે છે. થિયરી જાણવી અને સમજવામાં અને જીવવામાં બહુ ફરક છે.

પ્રશ્ન:- ધર્મ વાઇસ સ્પીરીચ્યુઅલ છે કે સ્પીરીચ્યુઅલ એ જ ધર્મ છે જે ડિફરન્સીસ છે. જે લોકોને ખબર નથી તેઓને રિલીજીયન શું છે? સ્પીરીચ્યુલીટી શું છે ? જેવી રીતે એજયુકેશન સીસ્ટમમાં મિક્ષિંગ છે તે પણ એક બ્લોકેજ છે ?

જવાબ:- સ્પીરીચ્યુલીટી એ એક આઘ્યાત્મક છે. આઘ્યાત્મ આપણને માર્ગદર્શન આપે છે. જીવન જીવવાની કળા શિખવાડે છે. તમારે જીવન કેવી રીતે જીવવું છે ધર્મ શું છે ? ધર્મ એક માન્યતા છે ધર્મ અલગ અલગ હોય શકે છે. હિન્દુ ધર્મ, મુસ્લીમ ધર્મ, શિખ ધર્મ, ઇશાય ધર્મ ગુરુના હિસાબે પંથ બની ગયું ધર્મનો અર્થ એ છે કે તમારે આ કરવું જોઇએ યુ સુડ ડુ ધીસ સૂડ આવે તેમાં સ્પીરીચ્યુઆલીટી સૂડના આધારે નથી.

તેમાં સજેશન નથી તે એક સાયન્ટીફીક રૂલ છે. ફોમ્યુલા છે જો તમે આ કરશો તો આવું થશે. જો તમે મેડીટેશન કરવા આંખ બંધ કરશો. તો તમારી બહારની એર્ન્જી અંદર ટ્રાવેલ કરવાની શરૂ કરશે. જે આંખોથી ૮૦ ટકા એન્જી બહાર જઇ રહી છે. જેવી તમે આંખ બંધ કરોછો. તો તમારી એન્જી ઇન્સાઇડમાં જર્ની શરૂ કરી દે છે.

કોઇ ચીજ અંદર ટ્રાવેલ કરશે. જયાં પણ ટ્રાવેલ કરશે. તો તે વસ્તુ વધશે. ઇચીસ વધશે તે પણ પાવર છે. ઇલેકટ્રીસીટીના કરંટ છે. અગર તે બહાર જાય છે. તો બહાર પાવર ક્રીએટ કરશે. જો તે અંદર જાય તો અંદર પાવર ક્રીએટ કરશે. આપણે સદીઓથી ડરમાં જીવીએ છીએ. શા માટે ડરમાં જીવીએ છીએ કારણ શું હોય શકે ?

મન બનાવ્યું મનથી જૂની બોડી છે હજારો લાખો વર્ષો જુની બોડી છે. આપણું જે શરીર છે અને આપણું મન તે નવું છે તો મન અને બોડીને સિન્કોનાઇઝ કરવાની કળા છે તે જ આર્ટ ઓફ લીવીંગ છે. આપણને આર્ટ ઓફ લીવીંગ તો શિખવાડવામાં આવ્યું પરંતુ આર્ટ ઓફ ડાઇંગ  શિખવાડવામાં નથી આવ્યું.

ઓશો શું શિખવાડે છે તે મરવાની કળા શિખવાડે છે. જે એવું વિચારીને જીવે છે કે જે તે પલ છેલ્લો પલ છે. આના પછી જીવન મળશે નહી મળે તે કનફોર્મ નથી આપણે ૧૫ વર્ષની પ્લાનીંગ કરીને બેઠા છીએ. તો તે જરૂરી નથી. કે તમને ૧પ વર્ષ મળશે. નેકસ્ટ સેકેન્ડમાં શું થશે તે પણ નથી. ખબર તો તે મરવાની કળા શીખવાડે છે.

પ્રશ્ન:- બેક ટુ રૂટ ની વાત આવે તો બેક કઇ રીતે જઇ શકે તે એક ઇસ્યુ છે ? મારો સમય જતો રહ્યો છે હવે હું શું કરું ?

જવાબ:- અહિયા હું વાત કરીશ લોર્ડ મકેલીના સમયની જયારે અંગ્રેજો દ્વારા આપણી શિક્ષણ પઘ્ધતિમાં બદલાવ આવ્યો. સિસ્ટમમાં બદલાવ આવ્યો. ગુરૂકુળ પ્રથા હતી. ગુરુકુળ પ્રથામાં બધા જ વિષયો ભણવા જરૂરી ન હતા. એક પર્ટીકયુલર વિષય ઉપર અઘ્યયન કરવામાં આવતું હતું હવે તે પ્રથા ચેઇન્જ થઇ છે. પિરિયડ સિસ્ટમ આવી ગયું  ઉપરથી ગ્રેડ સિસ્ટમ પછી તેના પર્સનરેજ કાઢવા અને તેમાં ૯૦ ટકા

લેવાના છે. ૯૦ ટકાથી ઓછા આવે તો તમે નિકકમા છો તે સિસ્ટમમાં કોમ્પીટીશન એટલી વધી ગઇ છે કે તમે દોડો હવે જે પ્રથમ આવશે તે વિનર છે. બાકી બધા લુઝર છે.

જે ઇન્સાનિયત શખી ગયા. પ્રેઝન્ટમાં જીવતા શીખી ગયા તે પોસ્ટ અને કયુચરથી ડિસ્કનેકટ થઇ જશે તેનું પ્રેઝન્ટ સુંદર હશે તેનું ફયુચર પણ સુંદર હશે હિન્દુસ્તાનમાં છોકરાઓ પૈદા નથી થતા બુઢે પૈદા થાય છે શા માટે ? કારણ કે તેને કહેવામાં આવે છે કે તારે રામ બનવાનું છે. શા માટે રામ બનવાનું છે? તે જાતે નથી બની શકતો જે પૈદા થયો છે કાંઇક બનવા માટે તો તે જાતે ન બની શકી.

પ્રશ્ન:- લોકોની મુખ્ય સમસ્યાએ છે કે તેઓ પાસે સમય નથી આ તમામ વસ્તુઓ માટે શું માનો છો આપ?

જવાબ:- આનું સિમ્પલ સોલ્યુશન એ છે કે તમે જે પ્રવૃતિઓ કરી રહ્યા છો તેમાં પણ ઘ્યાન કરી શકાય શું કાર્ય કરો છો. તેને જો ઓળખી લેવામાં આવે તે ઘ્યાન છે. કામ કરતાં કે કોઇપણ પ્રવૃતિઓ કરતાં પણ ઘ્યાન થઇ શકે છે. પોતાના શરીરની સાથે  અટેચમેન્ટ હોવું અનિવાર્ય છે. આ કરવાથી સાક્ષી  ભાવ પણ જાગૃત થાય છે. અને અત્યારના જે વાત કરી રહ્યા છીએ. તે ઋષિ પરંપરાની છે. આનાથી લોકો કયારે ડીપ્રેશનમાં ન જાય ગુસ્સો માત્ર ૩ થી પ મીનીટ જ પોતાના હાવી હોય છે.

પ્રશ્ન:- લોકોના મગજમાં એવું છે કે ઘ્યાન, પ્રાર્થના, સાધના તે માત્ર રીટાયર્ડ થયેલ લોકો માટે જ છે હકીકત શું છે?

જવાબ:- આપણું જયારે કોમ્પ્યુટર બગડી જાય તો ત્યારે આપણે કરંટ ફાઇલને ચોખ્ખી કરવા એન્ટિ વાયરસ નાખીએ છીએ. એવી જ રીતે માનવ શરીરમાં જે મગજ છે.

તે આપણું સોયટવેર છે. જેથી આપણે ચારેય સાઇડથી વાયરસનો ભેટો થાય છે. પરંતુ જો આઘ્યાત્મરૂપી એન્ટિવાયરસ હશે તો કોઇપણ પ્રશ્ન ઉદભવીત નહી થાય.

પ્રશ્ન:- બીજી વાત લોકોના મગજમાં એવું છે કે કર્મ એટલે શું? લોકો ભટકી ગયા છે ડરનો માહોલ ઉદભાવિત થયો છે આપનું શું માનવું છે.

જવાબ:- આવી માનસિકતા ધરાવતા લોકોની જો વાત કરીએ તો એ છે કે લોકોના માનસ ઉપર કોઇ અલગ વસ્તુ હોય પરંતુ જયારે કાર્યકરતા હોય તે સમયે વિચાર કાંઇક અલગ જ હોય જેને લઇ લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. લોકો જયારે વ્રત કરે છે તો તેને શું દેખાતું હોય કે લોકોને જમવાનું દેખાય છે.

તો વ્રતનો મતલબ શું ? એટલે કહી શકાય કે લોકોએ અંદરથી પોતાની વાસનાને દમીત કરી નાખી પરંતુ ઘ્યાનમાં તો જમવાનું જ દેખાય છે તો તે યોગ્ય ન કહેવાય. કહેવાય છે કે મૃત્યુ બાદ સ્વર્ગમાં લોકોને અપસરાઓ મળે અને મદિરાખાન પણ થઇ શકે તો મુખ્યવાત એ છે કે આ તમામ વસ્તુઓને જો ભોગવવી જ હોય તો અત્યારે શું કામ નહીં.

સબ કોન્સીયસ માઈન્ડની પ્રશ્ન વિશે જણાવ્યું કે સબકોન્સીયસ માઈન્ડની પાવર ઉપર જ માણસ છે જયારે બાળક જન્મે ત્યારે તેનું સબકોન્સીયસ માઈન્ડ જ કામ કરતુ હોય છે. પાંચ વર્ષ સુધી બાળક તેના સબકોન્સીયસ માઈન્ડથી જ કામ કરે છે.

જયારે બાળક પાંચ વર્ષ પછી સ્કુલમાં જાય ત્યારબાદ કોલેજ અને યુનિવર્સીટી અને આ જગ્યાઓએ તેમના સબકોન્સીયન્સ માઈન્ડને મારી નાખવામાં આવે છે. બાળકો પર પુસ્તકોનું વજન લાદી દેવામાં આવે છે. અને માત્રને માત્ર ગોખણપટી મારવા માટે તૈયાર કરવામાં આવે છે. અને એજ બુકોને લખે છે.

ખાસ તો જુના જે ઈતિહાસ છે તે ઈતિહાસો દહોરાવાના બદલે બાળકોની કીએટીવીટી પર ધ્યાન દેવું જોઈએ. સબકોન્સીયસ માઈન્ડમાં રહેલી આવડત પર ભણતરનો ભાર લાદી દેવામાં આવે છે. જેમ જેમ બાળક ભણતુ જાય તેમને તેમ બાળકોનો વિકાસ થવાને બદલે રૂધાય છે. આ રિસર્ચ થયેલ છે.

એક રિસર્ચ એવો પણ થયેલો કે પાંચ વર્ષનાં બાળકને એક સવાલ પુછવામાં આવ્યો એજ સવાલ જયારે બાળક ૨૫ વર્ષનો થયો ત્યારે પુછવામાં આવ્યો તોતે વ્યકિત તે પ્રશ્નનો જવાબ આપી શકયો નહી જયારે પાંચ વર્ષની ઉમરે તેણે તેજ પ્રશ્નનો જવાબ આપી દીધો હતો તો હવે આપણી શિક્ષા આગળ વધી રહી છે.

કે પાછળ જઈ રહી છે. માત્રને માત્ર આજ કારણ છે કે સબકોન્સીયસ માઈન્ડ કામ કરતુ નથી. ઉપરાંત હાલમાં જે સ્માર્ટ ફોન જનરેશન આવી છે. તેના કારણે બાળકો સ્માર્ટ ફોનમાં ઓળઘોળ થઈ ગયા છે. ડિઝીટલ ઈન્ડીયા બની રહ્યું છે. તે ખૂબજ સારી બાબત છે. અને પ્રોગ્રેસીવ પણ છે.પરંતુ બાળકોને રમવા માટે બીજા રમકડા પણ હોવા જોઈએ માત્ર મોબાઈલ નહી પરંતુ જીનીયસ બાળકોમાં હજી વધુ આવડત જાણી શકીએ તેવી ટેકનોલોજી વિકસાવવી જોઈએ.

પ્રશ્ન:- બકોન્સીયસ માઈન્ડનો પાવર કેટલો હોય છે. કેટલુ કામ થઈ શકે તો આ પાવર બહાર કેમ નથી આવતી?

જવાબ: આ પ્રશ્નનો બે જવાબ આપતા માધવીજીએ જણાવ્યું કે આ વાતનો બે જવાબ છે. પહેલુ કે, કોન્સીયસ માઈન્ડને જાગૃત જ ન કરવી જેમકે આદીવાસી લોકો છે. તેમનું કોન્સીયસ માઈન્ડ જ નથી અને આ કારણે તેમનું માઈન્ડ પણ સામાન્ય માણસોથી વધારે પડતુ જાગૃત છે. આદિવાસીએ સામાન્ય માણસથી વધારે પાવરફૂલ છે. અને એડવાન્સ છે. આપણે માત્ર કપડા પહેરતા જ શીખ્યું છે. તેમણે જીંદગીને જીવતા શિખ્યું છે. તો સબકોસ્પીયન્સ માઈન્ડની પાવર મેડિટેશન કરવાથી ઈમ્પ્રુવ થાય છે.

તમામ માણસ એનરજી છે આપણુ શરીર પાંચ તત્વોથી બનેલુ છે. પાંચે તત્વો પોતાના ભાગમાં ભળી જાય તો અંતમાં માત્ર એનરજી બચે છે. એનરજી બચે એટલે સબકોન્સીયસ માઈન્ડ એકટીવ થાય છે. અને સબકોન્સીયસ માઈન્ડમાં બ્રહ્માંડ જેટલી શકિત હોય છે.

માણસ આ બીલીવ નથી કરતા કયારેક અચાનક કોઈના પર અટેક થઈ જાય ત્યારે માણસ એકદમ પાવરફૂલ થઈ જાય છે. તો તે પાવર કયાંથી આવે છે. પાવર એ છે કે જે પહેલા જાગૃત ન હતો પરંતુ આ તમામ વસ્તુ માત્રને માત્ર રિસ્ક લેવાથી જ થાય છે.

તો રીસ્ક એ ખૂબજ સારા ગણવામાં આવે છે. સેઈફ જોન વીશે વાત કરતા જણાવ્યું દુનિયામાં ઘણા પ્રકારનાં લોકો અને યુનિવર્સ અલગ અલગ લોકોથી બન્યું છે. દરેક માણસની પોતાની એક યુનિકનેશ છે. જે રીતે દરેકનાં ફિંગરપ્રીન્ટ અલગ છે તે રીતે દુનિયામાં કોઈ પણ સર્જન રીપીટ થતુ નથી.

ઈનર પાવર છે તે માટે કોન્ફીડન્સ આવે તેના માટે જણાવ્યું.. બાળક જયારે નાનો હોય ત્યારે તે માત્ર તેની માતાને જ ઓળખે છે. અને પપ્પાને ઓળખે છે. જેમજેમ ઉંમરે વધે તેમ તેમ બાળક તેના બીજા રીલેટીવને ઓળખતો થાય છે. સૌ પ્રથમ આપણે આપણી બોડીનું નોલેજ મળે છે. કે આપણુ બોડી શું છે કંઈ રીતે કામ કરે છે.

કઈ રીતે બની છે. જેમકે ગુસ્સો આવે તો શ્વાસ ફૂલાય છે. પહેલાતો શરીરનાં વિજ્ઞાનને જાણવું જોઈએ ત્યારબાદ મનથી ઈન્ટ્રોડકશન થાય છે. અને છેલ્લે આત્મા સાથે વાત થઈ શકે છે. કારણ કે પીએચડીએજ માણસ કરી શકે કે જેને પોસ્ટ ગ્રેજયુએશ કર્યું હોય તે નર્સરીનો બાળક પી.એચ.ડી. કરે તો ડિપ્રેશનમાં આવી જાય.

પ્રશ્ન: ૨૧મી સદીમાં લોકો ગોડ લવીંગ કે ગોડ ફીયરીંગ છે?

જવાબ: આ બાબતને બે જનરેશનમાં ડિવાઈડ કરી જણાવ્યું કે સ્માર્ટ ફોન પહેલાની જનરેશન કે ફીયરીંહગ છે અને સ્માર્ટ ફોન જનરેશન ગોડ લવીંગ તો નથી. પરંતુ તેમને ખ્યાલ છે કે ભગવાન જેવું કોઈ તત્વ છે  તેમને ગોડ નોઈંગ કહેવામાં આવે છે. હવે ૨૦ વર્ષ પછી ગોડ લવીંગ જનરેશન આવશે.

પ્રશ્ન: ઓરા માણસ સાથે જીવે છે અને અને ઓરાની પણ એકશકિત છે તો તે શું છે?

જવાબ: સાધારણ રીતે ઓરા એટલે ભગવાનની પાછળ પીળા કલરની ઉર્જા બતાવાય છે. તે ઓરા છે. ઓરામાંથી એક વાઈબ્રેસન જાય છે. જેનાથી બાળકોને કે ભકતોને બ્રેસીંગ મળી રહે છે. ઉપરાંત જયારે કોઈ વ્યકિત કોઈમાં પગે પળે છે. ત્યારે અંગુઠાને અડે છે. તો અંગુઠો પણ એનરજીનો એક સ્ત્રોત છે.

દરેક માણસ ઓરા પાંચ ફૂટ સુધીની હોય છે. જે લોકો સાધના અને મેડીટેશન કરે છે તેમની ઓરા વધતી જાય છે. જેમકે ગૂ‚નાનક દેવની ઓરા પાંચસો કિલોમીટરમાં ફેલાયેલી હતી. તો આપણા ઓરામાં જે કોઈ લોકો બેઠા હોય તો તે લોકો આપણી વાતને સમજે છે.

અને જે તે માણસને હીત કરી શકે છે. અનુભવીને ઓરામાં બેઠેલા તમામ લોકો જોડાય જાય છે. જે લોકો ઓરાની બહાર છે તે કનેક્ટ થતા નથી. દા.ત. જે દોસ્તો જલ્દી જલ્દી મળતા હોય છે. તેઓની ઓરા વધુ કનેકટ થાય છે. અને સંબંધ ગાઢ બને છે. જે લોકો જલદી મળતા નથી તેમના સંબંધ વધુ ગાઢ બનતા નથી.

પ્રશ્ન: ઓરાને મેનેજ કરી શકાય ખરી?

જવાબ: ઓરાને મેનેજ કરી શકાય તેની ઘણીબધી ટેકનીકસ છે. ઓરાને કલીન અને ચાર્જ પણ કરી શકાય ઓરાના સાત લેયર હોય છે. અત્યારે મદિર મસ્જીદમાં પણ મોર પંખ રાખવામાં આવે છે. મોરપંખ ઓરા કલીન કરે છે.

ઘરમાં પણ મોરપંખ રાખવામાં આવે તો ઘરની એનરજી પણ પોઝીટીવ થઈ જાય છે. ઉપરાંત અગરબતી અને ગુગળનાં ધુપથી પણ ઓરા કલીન થાય છે. સાથોસાથ ઓરોમાં થેરાપી પણ થાય છે. ઓરામાં કોઈપણ નેગેટીવ એનરજી પ્રરાતી નથી.

પ્રશ્ન: બ્રહ્માંડ ને શુન્યાવકાંશ કહેવામાં આવે છે તો માનવીય શરીરમાં કયા ભાગને બ્રહ્માંડ કહી શકાય?

જવાબ: જે મગજ છે તે બ્રહ્માંડ નથી બ્રહ્માંડ એક કમ્પોઝીશન છે. પૃથ્વીમાં પાંચ તત્વો છે તો આપણા શરીરમાં પણ પાંચ તત્વો રહેલા છે. હવા, પાણી, પૃથ્વી, અગ્નિ, આકાશ આ તત્વોમાંથી માનવીય શરીરમાં ચાર તત્વો એટલે કે પૃથ્વી એટલે સ્ક્રીન આ પૃથ્વીનો ભાગ છે.

જયારે પાણી તે લોહીનો ભાગ છે. હવા નો પાર્ટ એ શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા છે. અગ્નિનો ભાગ એ જઠરાગ્ની છે. હવે આકાશ એ આ ચારેય તત્વોને જોડીને રાખે છે. આકાશ સ્પેશ છે. જોઈનીંગ પોઈન્ટ છે. જયા પૃથ્વી જળમાં વિલીન થાય છે. પૃથ્વીની ઉપર પાણી છે. પાણીની ઉપર અગ્ની છે. અગ્નની ઉપર વાયું છે. તો સૌથી પાવરફૂલ તત્વ વાયુ છે. પૃથ્વી, અગ્નની અને પાણીનું બેલેન્સીંગ હઠયોગ દ્વારા થઈ શકે પરંતુ વાયુનું બેલલેન્સીંગ ખૂબજ ઓછા લોકો કરી શકે.

જેમનું વાયુ તત્વ મજબુત હોય તે લોકો મહા જીનીયસ હોય છે. તેમની ઓરા પણ ખૂબજ મોટી હોય કે વાયુ તત્વનો લોકોથી વધારે લોકો પ્રભાવીત થાય છે. અગ્ની તત્વનાં લોકોને ગુસો વધારે આવે છે. પૃથ્વી તત્વનો લોકો શાંત હોય છે. એટલે શરીર પણ વધારે હોય છે.

પાણી તત્વનો જે લોકો છે. તેમણે જલદી જલદી શરદી થઈ જાય છે. તો આ તમામ તત્વો મળીને માનવીય શરીર બન્યું છે. તો બ્રહ્માંડ પણ એક કોમ્પોજીસન છે. સાયન્સનું કહેવું છે કે એક બ્રહ્માંડ જેવા ઘણા બધા બ્રહ્માંડ છે.

સાયન્સ અનુસાર બ્રહ્માંડ અને માનવીય શરીરમાં પાંચ કોમ્પોનેટ ને કારણે સમાનતા છે. જયારે માણસ મૃત્યુ પામે છે. ત્યારે તેના શરીરમાંથી માત્ર પ્રાણ જાય છે. અને બાકીનાં પાંચ તત્વો પડયા રહે છે. જયારે માણસનો અંતિમ સંસ્કાર થાય ત્યારે પાંચે તત્વો તેમા મળી જાય છે. કહેવાય છે કે સૃષ્ટીમાં પ્રલય આવે છે તો દર વખતે સૃષ્ટીને રિક્રીએટ કરવામાં આવે છે. તો આ પ્રલયનું કારણ છે કે જમીન પાણી અંદર ભળી જશે.

પાણીને ઓવરકમ અગ્ની કરશે અગ્નીને ઓવરકમ વયુ કરશે અને વાયુ આકાશમાં નામ રહેશે આજે જયાં પર્વતો છે ત્યાં સમુદ્ર હતા સૃષ્ટી આમ જ પોતાની જાતને રીક્રેયેટ કરતી હોય છે.

પ્રશ્ન: હાલમાં લોકો જે એક બીજા સાથે મોબાઈલ ઈન્ટરનેટ દ્વારા કનેકટેડ છે તો પહેલાનાં સમમાં પણ ઋઓ એકબીજા સાથે વાત કરતા તો તે શું હતુ?

જવાબ: પહેલાના સમયમાં ટેલોપેથી હતી જે હાલની ટેકનોલોજીથી ઘી હાયર ટેકનોલોજી છે. વગર ફોને ચંદ્રગુપ્ત અને ચાણકય ટેલીપેથી દ્વારા વાત કરતા હતા ઓશો પણ ટેલીપેથી જાણતા હતા.

સાથોસાથ ઓસો બુક વાંચવાનાં પણ શોખીન હતા તેમણે ૬૦૦૦ બુકસ વાંચેલી છે. એક વખત વાંચન બાદ ગમે તે બુકમાંથી કોઈપણ લાઈન તેઓ બોલી દેતા હતા અને દુનિયામાં પણ કોઈએ ૬૦૦૦ બુકો વાંચી નથી ટેલીપેથી આજ પણ છે.

બેકટુ રૂટ વિશે વાત કરતા જણાવ્યું કે, હાલમાં શિક્ષણમાં કાંતી કરવાની જ‚રીયાત છે. પાંચમાં ધોરણ સુધી બાળકોને માત્ર બેઝીક વિષયો ભણાવવા જોઈએ જેથી બાળકોનો પાયો મજબુત થાય પાંચમાં ધોરણ બાદ જે વિષય ભણવાની બાળકની ઈચ્છા હોય તેજ ભણવું જો,એ અને બીજુ કે ધ્યાન કરવું ફરજીયાત છે. જયારે માણસ ધ્યાન કરશે તો મોરલ વેલ્યુ આપો આપ આવી જશે. ઉપરાંત વધુમાં ઉમેર્યું કે જે બાળકોને વધુ નબળા હોય તેને ધ્યાન દેતા નથી પરંતુ ભણવામાં નબળા બાળકોમાંજ એક અલગ તાકાત હોય છે.

જેનું ઉદાહરણ આઈનસ્ટાઈન છે. કોઈ બાળક જયારે નોર્મલ કામ નથી કરી શકતો તો તે બાળકની ક્ષમતા કંઈક એકસ્ટ્રા ઓર્ડિનરી કરવાનું છે.

અંતમાં અબતકના દર્શકોને સંદેશો આપતા જણાવ્યું કે આપણે બીજા લોકોને પ્રમે આપીએ છીએ પરંતુ હવે જાતને ઓળખી જાતને પ્રેમ કરતા શીખવું જોઈએ.અંતમાં સંદેશો આપ્યો કે ‘લન હાવ ટુ લવ યોર સેલ્ફ’.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.