Abtak Media Google News

નવ વર્ષ પહેલા નજીવી બાબતે બે યુવકની બે મહિલા સહિત ૧૦ શખ્સોએ હત્યા નિપજવી’તી

રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે નવ વર્ષ પૂર્વ નજીવી બાબતે ખેલાયેલા ધીંગણા માં થયેલા ડબલ મર્ડર કેસમા એક આરોપી એ પુત્રની સારવાર માટે માંગેલા માનવતાના જામીન અદાલતે ફગાવી દીધા છે.

વધુ વિગત મુજબ શહેરના ભાગોળે કાળીપાટ ગામે ગત તા.૧૦ ૭-૧૧ના રોજ માતાજીના મઢ પાસે તાવા પ્રસાદમાં એકઠા થયેલા દરબારોએ કોળી પરિવારના કિશોરને ગાળો બોલવાની ના પાડવાના મુદ્દે ખેલાયેલા ધિંગાણામાં વિશ્વજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજાનું મોત નિપજતા બનાવ ડબલ મર્ડરમાં પલ્ટાપો હતો.તાલુકા પોલીસ મથકમાં સત્યજીતસિંહ અનિધ્ધસિંહ જાડેજાએ છગન રધા દુધરેજીયા, ધી રધા દુધરેજીયા, સુરેશ રધા દુધરેજીયા, દિનેશ રધા દુધરેજીયા, જેન્તી પ્રેમજી દુધરેજીયા, સવજી દેવશી દુધરેજીયા, બાબુ ઉકા દુધરેજીયા અને બે મહિલા સહિત ૧૦ શખ્સો સામે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા. હાલ લાંબા સમયથી જેલ હવાલેરહેલા. છગન રઘા દુધરેજીયા પુત્ર ની સારવાર માટે વચગાળાના જામીન  અરજી કરી હતી જેમાં બંન્ને પક્ષોની લેખિત મૌખિત દલીલ બાદ મુળ ફરિયાદના વકિલ રૂપરાજસિંહ, સ્પે.પીપી અનિલભાઇ દેશાઇએ કરેલી ધારદાર દલીલ તેમજ કેસની સુનાવણી અંતિમ તબકકામાં છે. જો જામીન આપવામાં આવશે તો સાક્ષીને ફોડવાના અને પુરાવાનો નાશ કરવામાં આવશે. તેવી દલીલ ધ્યાને લઇ સેશા જજ આર. એલ. ઠકકર એ છગન દુધરેજીયા ની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી છે. મુળ ફરિયાદ વતી એડવોકેટ તરીકે રૂપરાજસિંહ પરમાર, અજીતભાઇ પરમાર અને ભરતભાઇ સોમાણી રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.