Abtak Media Google News

ખડેલીયા -રાઠોડ પરિવારના નિર્ણયને મહેમાનોએ વધાવ્યો: આગેવાનો ‘અબતક’ની મુલાકાતે

તાજેતરમાં જ રાજકોટ ખાતે કવિતાબેન અને સુરેશભાઈ બડેલીયાની પુત્રી પ્રતીક્ષા અને આશાબેન અને રાજેન્દ્રભાઈ રાઠોડના પુત્ર જયદીપનો યોજાયેલ લગ્ન પ્રસંગ સમાજ માટે એક પ્રેરણાદાયી રાહ ચિંધનારો બની રહેવા પામ્યો બંને પરિવારોની તેમજ નવદંપતીની મહેચ્છાથી પ્રસંગમાં પધારેલ મહેમાનોએ લખાવેલ ચાંદલાની માતબર રકમ પૂરેપૂરી ગુજરાતના સૌથી વિશાળ એવા રાજકોટના સદભાવના વૃધ્ધાશ્રમને સમર્પિત કરી તેઓએ ૨૦૦ જેટલા નિરાધાર અને અશકત વડીલોના ખરા આશીર્વાદ મેળવ્યા.

માત્ર એટલું જ નહિ, પરંતુ જયારે પ્રસંગમાં ઉપસ્થિત મહેમાનોને ખ્યાલ આવ્યો કે પોતે આપશે તે ચાંદલાની રકમ સદભાવના વૃધ્ધાશ્રમના વડીલોના યોગક્ષેપ માટે અપાવાની છે ત્યારે તમામે કરવાના હોય તેનાથી બમણી રકમનો ચાંદલો કરીને બડેલીયા અને રાઠોડ પરિવારના આ સ્તુત્ય નિર્ણયને ખોબલે ખોબલે વધાવી લીધો હતો.

આ પ્રેરણાદાયી કાર્ય બદલ વૃધ્ધાશ્રમના આગેવાનોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.