Abtak Media Google News

ફાયર સ્ટેશનોએ પેમ્પલેટ અહેવાલ વિતરણ કરાય છે

જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત પાંચમાં વર્ષે અંગદાન, ચક્ષુદાન, દેહદાનનો પ્રચાર પ્રસાર ચાલુ છે.

ટ્રસ્ટના કાર્યકરો શહેરનાં દરેક ફાયર સ્ટેશને દર મંગળવારે સાંજે પ થી ૭ બેનરો તથા બોર્ડ લઇ ઉભા રહે છે. પ્રથમ મંગળવારે બસ સ્ટેશન પાછળ, બીજા મંગળવારે નિર્મલા રોડ ઉપર, ત્રીજા મંગળવારે રામાપીર ચોકડી પાસે અને આ ચોથા મંગળવારે પોપટપરામાં ફાયર સ્ટેશને ઉભા રહી અને માહીતી સભર પેમ્પલેટ તથા અહેવાલનું વિતરણ કર્યુ હતું.

આ મંગળવારે ચેરમેન ઉમેશ મહેતા સાથે વાઇસ ચેરમેન રસીકભાઇ ટાંક, મયુરભાઇ નકુમ તથા કનૈયા ગ્રુપનો સહકાર મળ્યો હતો. તેમ ઉમેશ મહેતા ચેરમેનની યાદી જણાવે છે વધુ માહીતી માટે મો. નં. ૯૪૨૮૫ ૦૬૦૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.