Abtak Media Google News

ભારતના પૂર્વ રક્ષામંત્રી જોર્જ ફનાર્ડિસનું નિધન થયું છે વાજપેય સરકાર  દરમિયાન રક્ષામંત્રી જોર્જ ફનાર્ડિસ લાંબા સમયથી બીમારીથી પીડિત હતા. ૮૮ વર્ષે આજ રોજ તેમને દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા.

લાંબા સમયથી બીમાર જોર્જ ફનાર્ડિસ સ્વાઈન ફ્લૂથી પીડિત હતા. રાજનેતા જોર્જ ફનાર્ડિસ સંગઠનના ભૂત પૂર્વ નેતા તેમજ પત્રકાર પણ હતા. તે રાજ્યસભા અને લોકસભાના સદસ્ય રહી ચૂક્યા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દએ પીએન જોર્જ ફનાર્ડિસ ના નિધન પર શોક દર્શાવ્યો, નરેન્દ્ર મોદીએ પણ પોતાના ટ્વિટરના એકાઉન્ટ પર ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે પોતાના લાંબા રાજનૈતિક કરિયરમાં જોર્જ ફનાર્ડિસએ પોતાના સિદ્ધાંતોથી કોઈ દિવસ સમાધાન નથી કર્યું. તેમne સાદગી અનુકરણીય હતી. નિતિન ગડકરીએ પણ ખ્યું કે શ્રમિકોના હિત ચિંતક જોર્જ ફનાર્ડિસના નિધનથી સમાજવાડી યુગનો અંત આવી ગ્યો…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.