ઈન્ડિયન એરફોર્સનું ચોપર Mi-17 V5 અરૂણાચલના તવાંગ પાસે ક્રેશ થયું છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ આ હેલિકોપ્ટરમાં સાત લોકો સવાર હતા. આ દુર્ઘટનાને કારણે 5 જવાનનાં મૃત્યુ થયા હોવાની વિગત મળી છે. જયારે એક જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ બે લોકોના મૃતદેહ મળી આવ્યાં છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ શુક્રવારે વહેલી સવારે 6 વાગ્યે એર મેઇન્ટનન્સ મિશનના ભાગરૂપે અરૂણાચલ પ્રદેશના તવાંગ નજીકથી Mi-17 V5 હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. બાદમાં કોઈ કારણસર આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટના કયા કારણસર સર્જાઈ તે અંગે સેનાએ કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપી દીધાં છે
Trending
- મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાન મહાવીરના આ સિદ્ધાંતોનું પાલન કરો
- જો મતદાન માટે આવું થાય તો સજા પણ થઇ શકે છે???
- ટૂંક સમયમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે આ સસ્તો સ્માર્ટફોન, જે 108 મેગાપિકસેલથી હશે સજ્જ
- બ્રેઈન સર્જરીના એક મહિના પછી, સદ્ગુરુ ઇન્ડોનેશિયાની 10-દિવસીય મુલાકાત સાથે ફરી સક્રિય
- Teslaએ આ કારણથી Cybertruckને કર્યા રિકોલ
- આ શાહી વાટકી ક્યાં છે, જેમાંથી ભૂત અને જીનનો અવાજ આવે છે…!
- પોલીસની દારૂ-જુગારની બદ્દી ડામવા કરાયેલી કાર્યવાહીએ રાજકોટને બનાવ્યું ’ડ્રાય સીટી’!!
- મધ્ય પૂર્વમાં ઉકળતો ચરુ : ઈરાની સમર્થક જૂથ દ્વારા ઈરાકમાં બોમ્બ ધડાકા