Abtak Media Google News

વારસાગત સંસ્કૃતિનું મુલ્ય જાળવી રાખવા ભારત સરકારની પહેલ

લીમડો, હળદર, આમળા તેમજ ભાંગ આપણી પરંપરાગત વસ્તુઓ છે જેનો ઉપયોગ સદીઓથી આપણા પૂર્વજો કરતા આવ્યા છે ત્યારે ભારતને યોગ અને આયુર્વેદની પણ ભેટ મળી છે માટે તેને અપનાવવા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં ભારત સરકારે વારસાગત પુંજીની પેટનર બનાવવા માટેની પહેલ કરી છે.

આ મામલે પૂર્વે પણ ચર્ચા કરી હતી જોકે અમેરિકા અને જાપાને તેનો વિરોધ કર્યો હતો તો બીજી તરફ મેકસિકો જેવા દેશોમાં ઈતિહાસ અને વારસાથી સમૃદ્ધ છે તે પણ તેમની વારસાગત પુંજીને સાંસ્કૃતિક પેટનર બનાવી રહ્યા છે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે ૧૦૬ દેશોની સંમતિ મેળવી અને અન્ય કાર્યક્રમો માટે સલાહ પણ આપી હતી. ત્યારે વૈશ્ર્વિક ઈ-કોમર્સ અને ભારતે જુની પદ્ધતિઓના જ્ઞાનના રક્ષણની માંગ કરી હતી. લીમડો એક ઔષધી સમાન છે.

આપણા પણ તેનો ઉપયોગ કરવાની સલાહ આપતા હતા તો યોગની શ‚આત પણ આપણે કરી હતી આજે આયુર્વેદ જગત પ્રગતિની સિદ્ધિઓ પાર કરી રહ્યું છે ત્યારે પારંપારિક જ્ઞાનનું મહત્વ તેનું ભાગીદાર બન્યું છે.

યોગથી લોકો નિરોગી બની ત્યારે યોગનો દુનિયાભરમાં ઉપયોગ વધ્યો છે.

વર્ષ ૨૦૦૫માં ૨૦૦૦ ખોટા દર્દીઓ દવા લઈ રહ્યા હતા ત્યારે જો આયુર્વેદ લીમડો, યોગ, હળદર જેવી દેશી ઉપચારો કરવામાં આવે તો તેનો કોઈ નો આંબે, ભારત પાસે આયુર્વેદ અને યોગ બંને શકિત છે માટે તેને પટનર બનાવવાથી દિર્ઘાયુ મેળવી શકાય છે માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન તેને બચાવવા તેમજ પેટનર બનાવવાની પહેલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.