Abtak Media Google News

-:: આજે રાષ્ટ્રીય યુવા દિવસ ::-

અસંખ્ય કુટુંબોના સમુહરૂપે આકાર પામેલા માનવ સમાજના અસ્તિત્વ અને વિકાસ પાછળ યુવા વર્ગનું આગવું પ્રદાન હોવાથી સમાજમાં  યુવા વર્ગને યુવાધન  તરીકે સંબોધન કરીને તેને પ્રોત્સાહીત કરીએ છીએ, દેશની પ્રગતિ, સુખ, શાંતિ અને સલામતિમાં યુવા વર્ગની આગવી ભૂમિકા હોય છે

લાઇફ સ્કિલ અર્થાત જીવન કૌશલ્ય… આની સાદી વ્યાખ્યા જોઅઇ તો જીવન કૌશલ્ય શિક્ષણ એટલે જીવનમાં આગળ વધવા માટે સફળ, સુખમય, શાંતિમય અને સ્વસ્થ જીવન ઘડતર માટે ત્થા સતત વિકાસસીલ રહેવા માટે જરૂરી એવું કૌશલ્ય, જીવન શૈલી સુધારતું શિક્ષણ

જીવન કૌશલ્ય શિક્ષણનો હેતુ એ છે કે વિઘાર્થી બાળપણથી જ જીવન કૌશલ્યોને તેમની સમજણ શકિતમાં ઉતારીને વર્તનમાં મુકતા શીખે અને પોતાની અંગત, સામાજીક અને દુન્યવી રીતે કાળજીપૂર્વકના આયોજન દ્વારા સતત વિકાસ પામતા રહે, વળી, તે તેમની શારીરિક અને માનસિક ક્ષમતાઓનો વધુમાં વધુ ઉપયોગ કરીને વ્યકિતત્વનો સર્ંવાગી વિકાસ સાધે તે જરૂરી છે.

૧૯૯૭માં છાત્રો, તરૂણો, કિશોરો, યુવા વર્ગ માટે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ દસ મૂળભૂત જીવન કૌશલ્યોની વ્યાખ્યા આપેલ છે. આજે જયારે સ્કિલ ડેવાલપમેન્ટની વાતો થઇ રહી છે ત્યારે યુવા વર્ગે આ લાઇફ સ્કિલ કે જીવન કૌશલ્યો પ્રાપ્ત કરવા જ પડશે, સ્વજાગૃતિ, સમાનુભૂતિ-પરાનુભૂતિ, સમસ્યા ઉકેલ. નિર્ણય શકિત, અસરકારક પ્રત્યાયન, આંતર માનવીય વ્યવહારો, સર્જનાત્મક ચિંતન, વિવેચનાત્મક ચિંતન, સંવેગાનુકૂલન તથા તણાવ અનુકુલન આ દશ જીવન કૌશલ્યો છે, આ મૂળભૂત કૌશલ્યો, વ્યકિતના વિચારો, લાગણીઓ અને વર્તનના સંદર્ભમાં એકબીજા સાથે સંકળાયેલા છે. આ કૌશલ્યો એક યા બીજી રીતે હસ્તગત થતાં જ વ્યકિતત્વનો અને સામર્થ્યનો વિકાસ થાય છે. પરિણામે માનવજીવન ઉન્નત બને છે.

(૧) સ્વજાગૃતિ:-

સ્વ જાગૃતિમાં આપણી જાત, આપણું ચારિત્ર્ય, આપણી શકિતઓ અને આપણી મર્યાદાઓ કે નબળાઇઓ, આપણી ઇચ્છાઓ, કે અભિલાષાઓ અને આપણી અલગમતી બાબતો વિષેની સ્પષ્ટ જાણકારી હોવી, વિગેરે બાબતો સમાવેશ થાય છે.

(ર) સમાનુભુતિ / પરાનુભૂતિ:-

આ એક એવું કોશલ્ય છે કે જેના થકી આપણે અન્યની પરિસ્થિતિથી વાકેફ ન હોવા છતા પણ તેનાં જીવનની પરિસ્થિતિ વિશેની અનુભુતિ કરી શકીએ, જે આપણી જાત કરતાં તદ્દન ભિન્ન હોવા છતાં પણ અન્યની વર્તુણક સમજવા અને સ્વકારવામાં આપણને મદદરૂપ થાય છે.

(૩) સમસ્યા ઉકેલ:-

જેમાં વ્યકિત કોઇ ચોકકસ સમસ્યાનાં સંદર્ભમાં તેના શકય વિકલ્પોમાંથી સર્વશ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરે છે અને ગમે તેટલા અવરોધો છતાં યોગ્ય હકારાત્મક ઉકેલ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચોકકસ કાર્ય પઘ્ધતિને અનુસરે છે.

Swami Vivekananda Ili 96 Img 1

(૪) નિર્ણય શકિત:-

આ મુલવણીની એક એવી ક્રિયા છે કે જેમાં વ્યકિત કોઇ ઘટના, પરિસ્થિતિ બાબત માટેના શકય તમામ પ્રાપ્ત વિકલ્પો અને તે માટે લેવાનાર જુદા જુદા નિર્ણયોની બાબત પર પડનારી શકય અસરો વિશે વિચારે

(પ) અસરકારક પ્રત્યાયન:-

આ કૌશલ્ય દ્વારા વ્યકિત અસરકારક રીતે પોતાના વિચારોને શાબ્દિક કે અશાબ્દિક રીતે અભિવ્યકત કરે છે.

(૬) આંતર માનવવિય વ્યવહારો:-

આ એક એવું કોશલ્ય છે કે આપણને આપણાં અન્ય સાથેના સંબંધોને સારી રીતે સમજવામાં અને તેને હકારાત્મક રીતે વિકસવામાં મદદરૂપ થાય છે.

(૭) સર્જનાત્મક ચિંતન:-

આ કૌશલ્ય આપણને આપણાં પ્રત્યથી અનુભવો અને અન્ય બાબતો અંગે સર્વ માન્ય કે ચિલાચાલુ કરતાં કંઇક નવા દ્રષ્ટિકોણથી વિચારવાનું સામર્થ્ય પુરૂ પાડે છે.

(૮) વિવેચનાત્મક ચિંતન:-

આ કૌશલ્ય દ્વારા વ્યકિત હેતુઓને ઘ્યાનમાં રાખીને સંપૂર્ણ માહિત અંગે અનુભવોનું વિશ્ર્લેષણ કરે છે.

Youth

(૯) સંવેગાનુકૂલન:-

આ કૌશલ્યોમાં પોતાની અને અન્યની લાગણીઓ ઓળખવી, સમજવી, તેની વર્તુણક પર થતી અસરો વિષે જાણવું અને લાગણીઓના આવેગ સાથે પ્રતિભાવ આપવા સક્ષમ બનવું વિગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.

(૧૦) તણાવ-અનુકૂલન:-

આ કૌશલ્પમ આપણાં જીવનમાં તણાવ ઉત્પન્ન થવાનાં કારણો વિશે જાણવું તેની આપણાં પર થતી અસરો વિશે સમજવું અને તનાવ પર નિયંત્રણ મેળવી શકાય તેવી વિવિધ રીતે વર્તવુ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ શારિરીક, માનસિક અને સામાજીક, એમ ત્રણેય પાસાઓને આવરી લઇને સ્વાસ્થ્યની વ્યાખ્યા કરી છે.

“રોગો કે ખોડખાંપણનો અભાવ માત્ર નહીં, પરંતુ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજીક આઘ્યાત્મિક સજજતાને સ્વાસ્થ્ય, તંદુરસ્તી કે આરોગ્ય કહે છે

આજે ભારત દેશમાં પ૦ કરોડથી વધુ યુવા વર્ગ છે. ત્યારે આવા જીવન કૌશલ્યો કેળવીને તેનો સંપૂર્ણ વિકાસ કરશે ત્યારે જ ખરા અર્થમાં દેશ વિકાસ કરશે યુવાશકિતનો વિકાસ જ તમામ સમસ્યાનો અંત છે.

યુવાનો સમાજની કરોડરજજુ

Fghhg

વસ્તીની દ્રષ્ટિએ ચિત પછી ભારત વિશ્ર્વમાં બીજા ક્રમ છે. આપણાં દેશમાં દર ત્રીજી વ્યકિત ર૦ થી ૩૦ વર્ષનો યુવાન છે. આપણા યુવાનો આપણી કિંમતી મુડી છે. જેઓ દેશના નવનિર્માણમાં મહત્વનો રોલ અદા કરી શકે છે. યુવાનોની જયારે પણ વાત થાય ત્યારે તેને સમાજ, દેશ, દુનિયાની તાકાત સ્વરુપે જ જોવાય છે પણ વાસ્તવમાં યુવાનો સમાજની કરોડરજજુ છે. આજના યુવા વર્ગને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. આ માટે સમાજમાં હકારાત્મક દ્રષ્ટિ કોપ કેળવવાની જરુર છે. એ આમ થશે તો જ ઉત્તમ સમાજનું નિમાર્ણ થઇ શકશે. આજના  યુવાનોએ પણ પોતાના સંવાર્ગ વિકાસ બાબતે સતત અને સક્રિય રીતે જાગૃત થવાની જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.