બર્મિગહામ: આઇસીસી ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઇનલમાં ભારતનો શાનદાર વિજય થતાં રવિવારે પાકિસ્તાન સાથે થશે ટક્કર. ભારતે ટોસ જીતીને બાંગ્લાદેશેને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. બાંગ્લાદેશે પ્રથમ દાવ લેતા 265 રન કર્યા હતા. ભારતે આ લક્ષ્યાંક ફક્ત 1 વિકેટ ગુમાવીને હાંસિલ કરી લીધો હતો. ભારત તરફથી રોહિત શર્મા 123 અને કેપ્ટન વિરાટ કોહલીએ 96 રન બનાવ્યા હતા. આ મેચ જીતતાજ બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાનની ફાઇનલમાં ટક્કર થશે. વનડે ક્રિકેટના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન 2008ના જૂન મહિના બાદ પહેલી વાર ફાઇનલમાં ટક્કરાશે આ પહેલા 14 જૂન 2008ના રોજ બાંગલાદેશમાં રમાયેલી ત્રિકોણીય વનડે સિરીઝમાં ફાઇનલ રમાઇ હતી જેમાં પાકિસ્તાનનો 25 રને વિજય થયો હતો. ભારતે બાંગલાદેશને આસાનીથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ 88 રન પૂરા કરવાની સાથે જ વનડેમાં સૌથી ઝડપી 8000 રન પૂર્ણ કરનાર બેટ્સમેન બની ગયો હતો. વિરાટે જ ગઈ કાલની મેચમાં વિજયી ચોકો લગાવ્યો હતો. હવે રવિવારે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે હોવાથી ક્રિકેટ રાશિકોમાં ભારે ઉત્સાહ રહેશે.
Trending
- એવું તે શું થયું કે હજુ પણ ભાતરતનો આ રેલ્વે ટ્રેક અંગ્રેજોના હાથમાં છે
- આળસ ખાધા બાદ રિલેક્સ ફીલ થવાનું આ છે મુખ્ય કારણ
- નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અહી એક નઝર કરજો, ફાયદામાં રહેશો…
- શહેનાઝ ગિલનો આ કીલર લૂક તમે ક્યારે પણ નહીં જોયો હોય
- સાદગીમાં જ સુંદરતા છે, આ વાતને સાર્થક કરતી દિશા પરમાર
- મુકેશ અંબાણીની ખુશી બમણી થઈ…!!!
- Red and Black લૂક સાથે છવાઈ હિના ખાન
- મુખ્યમંત્રી સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિના અવસરે ઉપસ્થિત રહ્યા