Abtak Media Google News

રાસ ગરબા તેમજ મહાપ્રસાદના કાર્યક્રમો

રાજકોટના ખોરાણા ગામે સમસ્ત સાંગાણી પરિવાર દ્વારા કુળદેવી બાલવી માતાજીનો નવચંડી મહાયજ્ઞનું આયોજન તા. ૮-૫ ને બુધવારના રોજ બપોરે ૧ર કલાકે પ્રસાદ તેમજ રાત્રીના રાસ ગરબાનો કાર્યક્રમ યોજાશે. જયારે સવારે ૮ ને ગુરુવારના રોજ સવારે ૬ કલાકે દેહ શુઘ્ધિ પ્રાયશ્ર્વિત અને ૧.૩૦ કલાકે બીડુ હોમવામાં આવશે. સાંગાણી પરિવારના કુળદેવી બાલવી માતાજીના મંદીરે યજ્ઞ યોજાશે.

આ કાર્યક્રમમાં સમગ્ર સાંગાણી પરિવારના લોકો એકત્ર થનાર છે બે દિવસનાં આ ધાર્મિક કાર્યક્રમમાં સાંગાણી પરિવારનાં મેળાવડામાં તમામ પરિવારજનોને સહ પરિવાર હાજર રહેવા સમસ્ત સાંગાણી પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.