Abtak Media Google News

વડીયામા જડેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં આવેલ ખેડૂત નાથાભાઇ ઘુસાભાઈ લાખાણી ના ખેતરે દીપડો ખાબક્યો દીપડાએ ગાયને ફાડીખાધી તેમજ વડીયા પંથકમાં છેલા ઘણા દિવસ થી દીપડાના આંટાફેરા જોવા મળી રહયા છે બે દિવસ થયા માલધારીની વાછરડીને ફાડીખાધીના વાયુવેગે સમાચાર વડિયા પંથકમાં ફેલાયા હતા ત્યાં આજે સવારે જડેશ્વર મહાદેવ મંદિર નજીકમાં ખેડૂત ના ખેતરે બાંધેલ પશુમાં એક ગાયને ફાડીખાધી હતી.

વનવિભાગને જાણ થતા વનવિભાગ પણ પહોંચ્યું હતું ઘટના સ્થળે પશુઓના મારણે લઈને લોકોમાં બે દીપડા હોવાની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે દીપડાના આંટાફેરા થી ખેડૂતો અને માલધારીઓમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે ખેડૂતોને પોતાના ખેતરે રાતવરાત ના જવામાં પણ ભયનો માહોલ સર્જાયો છે વહેલામાં વહેલી તકે આ દીપડાને પાંજરે પુરાય તેવી લોકમાગો ઉઠી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.