Abtak Media Google News

ક્રિષ્ના પાર્કમાં આધેડનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાત

શહેરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં માલધારી સોસાયટીમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જયારે ક્રિષ્ના પાર્કમાં આધેડે આર્થિક ભીંસને લઈ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના માલધારી સોસાયટીમાં ગાર્ડન પાછળ રહેતી નિકીતાબેન દામજીભાઈ જગાણી નામની ૨૨ વર્ષીય યુવતીએ કૌટુંબિક કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બે ભાઈઓમાં લાડકી નાની બહેને આપઘાત કરતા પરીવારમાં અરેરાટી મચી જવા પામી છે.

જયારે ક્રિષ્ના પાર્ક-૨, ૧૫૦ ફુટ રીંગ રોડ પાસે રહેતા અશ્ર્વિનભાઈ રમેશભાઈ વાંજા નામના ૪૨ વર્ષીય આધેડે આર્થિક ભીંસથી કંટાળી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પરીવારની જીવાદોરી સમાન આધેડે આપઘાત કરતા પરીવારની હાલત કફોડી બની છે. પોલીસે બંને ઘટનાની નોંધ લઈ તપાસ શ‚ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.