Abtak Media Google News

જામનગર ખાતે આવતીકાલે શુક્રવાર અને શનિવારના રોજ વિશ્ર્વભરનાં દાઉદી વ્હોરા સમાજના ૩૪માં દાઈનો ૩૫૪મો ઉર્ષ મુબારક બે દિવસ જીજાનથી ઉજવણી થશે. આ પ્રસંગે જામનગરમાં હજારોની સંખ્યામાં વ્હોરા બિરાદરો આસ્થાપૂર્વક જોડાઈ અંજલી અર્પણ કરશે. અનેક પ્રસંગોથી ગુંથાયેલા આ ઉર્ષ મુબારક અવસરે મદફન થયેલા ૩૪માં દાઈ સૈયદના ઈસ્માઈલ બદરૂદીન સાહેબની તૂરબત પર સંદલ અને ફૂલો આ ઉપરાંત મજલીશ ન્યાઝ જેવા કાર્યક્રમો બે દિવસ ચાલશે

આ દરમિયાન ગુજરાત રાજય સહિત ઠેકઠેકાણેથી વ્હોરા ભાઈ બહેનો અને બાળકો મઝાર મુબારક પર આવી શ્રધ્ધાના ફૂલો ન્યોછાવર કરશે આ અંગે જામનગર વ્હોરા સમાજની વિવિધ કમીટીઓએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.