Abtak Media Google News

ખ્યાતનામ કલાકાર દેવાયત ખવડ, ધીરુભાઇ સરવૈયા, ભારતીબેન મકવાણા વીરરસ પીરસશે: આયોજકો અબતકની શુભેચ્છા મુલાકાતે

આજરોજ તા.ર૩ માર્ચ શનિવાર શહિદ દિન નીમીતે બાબુભાઇ આહિરના માર્ગદર્શન હેઠળ શહેરના યુવા ફાઉન્ડેશનની ટીમ દ્વારા સાંજે ૭ કલાકથી ગાંધીગ્રામ ઝોન સ્વર્નિભર શાળા સંચાલક મંડળના બાળકો દ્વારા ૧૫૦ રીંગ રોડ સ્ટલીંગ હોસ્પિટલ પાસેના ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વીર શહિદ ગાથા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ દ્વારા ભારતના વીર શહિદોને સાંસ્કૃતિક કાર્યક્રમ થકી ગુજરાતના લોક સાહિત્યના દિગ્ગજ કલાકાર દેવાયતભાઇ ખવડ, હાસ્ય કલાકાર ધીરુભાઇ સરવૈયા તથા ગાયક કલાકાર ભારતીબેન મકવાણા પોતાની આગવી શૈલીમાં વીર રસ પીરરશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા તથા જાહેર જનતાને કાર્યક્રમ માણવા યુવા ફાઉન્ડેશનની ટીમ યુવરાજસિંહ જાડેજા, રાજુભાઇ આહિર, ચંદ્રકાન્ત કે. પટેલ, મયુરસિંહ જાડેજા, ભરત મુલીયાણા, જયરાજસિંહ જાડેજા, પ્રકાશભાઇ આહિર, ઉદયભાઇ  કાઠી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ચારુબેન ચૌધરી, જયદીપસિંહ જાડેજા, સતીષભાઇ રાવલ, ભાવીનભાઇ ચોટલીયા, રાકેશભાઇ ચિત્રોડા, રોહીતભાઇ શીયાર, અશ્ર્વિનભાઇ પાણખાણીયા, રાહુલભાઇ લૈયા, વિજયભાઇ રાઠોડ અને ટીમ જહેમત ઉઠાવી રહી છે. દેશભકિતના કાર્યક્રમની ભવ્ય સફળતા માટે ઉપરોકત આયોજકો ‘અબતક’ના આંગણે પધાર્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.