Abtak Media Google News

ઉવસગ્ગહર સ્ત્રોત્રના વિશિષ્ટ જાપ: જૈન શાળાઓના જ્ઞાનદાતાઓનું બહુમાન: ૪૮ સંસ્થાઓને ૪૮૦૦૦ નું અનુદાન: આગમ ગ્રંથનું વિમોચન: માનવતાના

કાર્યોમાં અગ્રેસર પ્રતિભાઓને પરમ એવોર્ડઝ દ્વારા સન્માન: સવજીભાઇ ધોળકીયા અને પરીમલભાઇ નથવાણીને અપાશે પરમ એવોર્ડ

દેહનાં જન્મોત્સવને ગૌણ કરીને અનેકોઅનેકનાં હૃદયમાં સંયમનાં, વૈરાગ્યનાં, ગુણોના, માનવતા અને જીવદયાનો જન્મ કરનારા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં ૪૮માં જન્મોત્સવ નિમિતે માનવતા મહોત્સવનું આયોજન ૩૦.૦૯.૨૦૧૮ રવિવારે સવારે ૦૮.૩૦ કલાકે ડુંગર દરબારમાં કરવામાં આવ્યું છે.

માનવતા મહોત્સવના અવસરે પ્રભુ મહાવીરની વાણી રૂપ આગમ ગ્રંથોનું પુન:પ્રકાશન પૂર્ણ થતાં આગમ ગ્રંથોનું વિમોચન તથા આગમના શબ્દોનો ગૂર્ઢા, રહર્સ્યાને આવરિત કરતાં જૈન વિશ્વકોશનું વિમોચન કરીને જ્ઞાન અને જ્ઞાન પછી દયા, માનવતા, કરુણાના પાઠ શીખવાડનાર પરમ ઉપકારી પરમાત્માની ઉપકાર વંદના સાથે કાર્યક્રમનો મંગલ પ્રારંભ થશે.

માનવતા મહોત્સવના આ અવસરે હર વર્ષની જેમ આ વર્ષે પણ એમાંથી શૂન્યમાંથી શ્રેષ્ઠતાનું સર્જન કરનાર, ભૌતિક જગતમાં ટોપ પર પહોંચ્યા પછી પણ બોટમલેવલનાં માણસોને આગળલાવનારતેમજ સમાજમાં પોતાની પ્રતિભાી ઝળહળીને સેવા અને માનવતાના કાર્યોમાં પોતાનું અનન્ય યોગદાન આપનાર મહાનુભાવોને ’પરમ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવશે. અત્યાર સુધી વેદાંત ગ્રુપના તરૂણભાઈ જૈન, વિશ્વ હિન્દુ પરિષદના શ્રી રમેશભાઈ મોદી, ઈસ્કોન ગ્રુપના શ્રી પ્રવિણભાઈ કોટક, ડિરેક્ટર શ્રી વિપુલભાઈ શાહ, શ્રી દિલીપભાઈ દેસાઈ અને રિલાયન્શ ગ્રુપનાશ્રી હરીશભાઈ શાહ આદિ અનેક ખ્યાતનામ પ્રતિભાઓ પરમ એવોર્ડી સન્માનિત યાં છે, તે પરમ એવોર્ડ દ્વારા આ વર્ષે લીલાવતી હોસ્પિટલના શ્રી રેખાબેન શેઠ, શેઠ બિલ્ડર્સના શ્રી મુકેશભાઈ શેઠ, શેલ બી હોસ્પિટલના વિશ્વપ્રસિદ્ધ ર્ઓોપેડીક શ્રી વિક્રમભાઈ શાહ, ટ્રાન્સ મિડિયાના શ્રી જસ્મીનભાઈ શાહ, ચેન્નઈના શ્રી હિતેનભાઈ કામદાર, સુરતના અગ્રણી દાનવીર શ્રી સવજીભાઈ ધોળકિયા, રીલાયન્સ ગ્રુપના શ્રી પરિમલભાઈ નવાણીને સન્માનિત કરવામાં આવશે.

રાષ્ટ્રસંત પૂજ્યશ્રીની પ્રેરણાી આ દિવસેઉપાશ્રયમાં ચાલી રહેલીપારંપરિક જૈન શાળાઓના માધ્યમી નાના બાળકોમાં સંસ્કારોનું સિંચન કરનાર સૌરાષ્ટ્રની જૈન શાળાઓનાજ્ઞાનદાતા બહેનોને ભવ્ય પુરસ્કાર આપી પ્રેરણા આપવામાં આવશે. વિશેષમાં, સમાજ સેવા કરનાર ૪૮ સંસઓને ૪૮૦૦૦નું અનુદાન આપવામાં આવશે.અને દેશભરનાં વિવિધ ક્ષેત્રોમાં વિચરણ કરનાર સંત-સતીજીઓનાં આગામી ચાતુર્માસની જાહેરાત કરવામાં આવશે. તેમજ, સિવિલ હોસ્પિટલ તથા લાઈફ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ડુંગર દરબારમાં રવિવારે સવારે ૦૮.૩૦ કલાકે પ્રારંભ નારા માનવતા મહોત્સવમાં હર વર્ષે રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના બ્રહ્મનાદે કરાવવામાં આવતા ઉવસગગહરં સ્તોત્રની  વિશિષ્ટ પ્રકારની જપ સાધના અને યંત્ર પૂજનનો લાભ લેવા માટે દેશવિદેશના હજારો ભાવિકો રાહ જોઈ રહ્યા છે, તે દિવ્ય જપસાધનામાં જોડાવા ઇચ્છુક ભાવિકોએ બ્લેક વો, લેધરની વસ્તુઓ ન લાવવામાટે વિનંતી છે તથા બને ત્યાં સુધી ચપ્પલ નો ત્યાગ કરવો.

વિશેષમાં, રોયલપાર્કના આંગણે એકસાથે ૭૫ સંત-સતીજીઓનું સમૂહ ચાતુર્માસ, રાજકોટના જૈન સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત એવું અદ્વિતીય ઐતિહાસિક ૧૨૫૦૦ શ્રાવક ભાઈઓ બહેનોના સમૂહ સંવત્સરી પ્રતિક્રમણ પછી માનવતા મહોત્સવના અપૂર્વ અવસરે ૩૦. ૦૯. ૨૦૧૮ રવિવારના ઐક્યતાની  અવિરતપણે હારમાળા સર્જવા  સમસ્ત રાજકોટના સનકવાસી જૈન સંઘોનું “સામુહિક સ્વામી વાત્સલ્ય સંઘ જમણ” રેસકોર્સ ગ્રાઉન્ડમાંયોજવામાં આવ્યું છે જેમાં૧૧.૦૦ થી ૧૨.૦૦ અને ૧૨.૦૦ થી ૦૧.૦૦  એમ બે સમયગાળામાં સાધર્મિક મિષ્ટભોજનનો લાભ લેશે. રાજકોટમાં  એ જ દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ હોવાી રેસકોર્સનો એ રૂટ ૦૨.૦૦ કલાકે બંધ થવાનો હોવાી ભાવિકોને ૧૧.૦૦ થી ૦૧.૦૦ કલાક દરમ્યાન ભોજન ગ્રહણ કરવા વિનંતિ. આટલી વિશાળ સંખ્યામાં ભાવિકોની વ્યવસના ભાગ રૂપે માનવતા મહોત્સવ, ડુંગર દરબારમાં પધારેલ ભાવિકો માટે સામૂહિક સંઘ જમણના ભોજનની વ્યવસ્થા ડુંગર દરબારની નજીકના ઓઝોન મોલમાં બપોરે ૦૨.૦૦ કલાક પછી રાખવામાં આવી  છે. આટલી વિશાળ સંખ્યામાં ભાવિકોના ભોજનનો લાભ શ્રી કમલેશભાઈ ઠોસાણી – કમલેશ કેટરર્સ તરફી લેવામાં આવ્યો છે.

સર્વ કાર્યક્રમોમાં પધારવા માટે સર્વ માનવતા પ્રેમી ભાવિકોને શ્રી સંઘ અંતરના ભાવોંથી આમંત્રણ પાઠવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.