Abtak Media Google News

 જામનગરના ધરારનગરમાં રહેતી એક વાઘેર પરિણીતાએ  ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તેણીને સસરા પક્ષનો ત્રાસ હોવાનું પોલીસમાં જણાવવામાં આવ્યું છે.

જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં આવેલી હાઉસીંગ બોર્ડની ચાલીના રૃમ નં.૭૮માં રહેતા ઉમેહબીબી અબ્દુલભાઈ નોતિયાર (ઉ.વ.રપ) નામના પરિણીતાએ પોતાના ઘરમાં રહેલા એન્ગલમાં સાડી વડે ગળાફાંસો ખાધો હતો.

જેની તેણીના પરિવારને જાણ થતા આ પરિણીતાને નીચે ઉતારી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત્યુ પામેલી જાહેર કરતા સુમારભાઈ જુમાભાઈ વાઘેરે પોલીસને જાણ કરી હતી.

દોડી આવેલા સિટી-બીના પીએસઆઈ એમ.એમ. સોનરાતે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડયો છે અને સુમારભાઈનું નિવેદન નોંધ્યું છે જેમાં જણાવવામાં આવ્યા મુજબ આ પરિણીતાને તેણીના સસરા પક્ષના વ્યક્તિઓ હેરાન-પરેશાન કરતા હોય, કંટાળી ગયેલા ઉમેહબીબીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી છે. પોલીસે આઈપીસી ૧૭૪ હેઠળ અપમૃત્યુની નોંધ કરી તપાસ આરંભી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.