Abtak Media Google News

એડવોકેટ કમલેશભાઈ શાહ અને જિગ્નેશભાઈ શાહના નિવાસ સ્થાને રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.એવમ્ પૂ.પિયુષમુનિ મ.સા.ના પૂનિત પગલાં.. શાહ પરીવાર ભાવ વિભોર…

રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા. આજરોજ  ધમૉનુરાગી એડવોકેટ કમલેશભાઈ નટવરલાલ શાહ તથા એડવોકેટ જીગ્નેશભાઈ એન.શાહ પરીવારના નિવાસ સ્થાન ” ચંદ્રદીપ ”  ખાતે પાવન પગલા કરેલ.

આ પાવન પ્રસંગે શાહ પરીવારવતી તપસ્વી રત્ના જાગૃતિબેન કમલેશભાઈ શાહ એવમ્ જ્ઞાનાભ્યાસુ સુનિતાબેન જીગ્નેશભાઈ શાહે ભક્તિ ભાવપૂવૅક સૌનું સ્વાગત કરેલ.ચિં.રિશીત,દેવ,દેવશૅ,હેતવી વગેરે બાળકોએ ” શાહ પરીવારને આંગણે ગુરદેવ પધાર્યા… વાહ,ભાઈ..વાહ ભાઈ વાહ ” ના નાદથી હનુમાન મઢી ચોક ગૂંજવી દિધેલ.

Img 20180613 Wa000000007

અત્રે નોંધનીય છે કે જૈન એડવોકેટ ફોરમના રાષ્ટ્રીય સદ્સ્ય કમલેશભાઈ શાહ રાજકોટની ધાર્મિક, સામાજીક,જીવદયા સહિત અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે.પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહેબે શાહ પરીવારને સંબોધતા જણાવ્યું કે ચારેય ફિરકાઓના સાધુ – સંતોની સેવા – વૈયાવચ્ચ કરતાં રહેજો સાથોસાથ  વિવિધ સંસ્થાઓને પણ યોગ્ય માગૅદશૅન આપી પૂણ્યાનુબંધી પૂણ્ય ઉપાજૅન કરજો.વધુમાં પૂ.ગુરુદવે કહ્યું કે વકીલાતના ક્ષત્રે જયારે સંકળાયેલા છો તો જીવનમાં નિતિ સાચી અને નિયતિ સારી રાખી જીવનમાં દરેક કાયૅ કરી દૂલૅભ માનવ ભવને સાથૅક કરજો.

આ અવસરે ગોંડલ સંઘના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી,મુંબઈ પારસધામ સંઘના અગ્રણી જીગરભાઈ શેઠ,નેમિનાથ – વીતરાગ સંઘના પ્રમુખ ભરતભાઈ દોશી,રાજકોટ મહાવીર નગર સંઘના પ્રતાપભાઈ વોરા,ઉવસગહરં સાધના ભવનના અલ્પેશભાઈ મોદી,ભાવેશભાઈ શેઠ,અજયભાઈ શેઠ,પ્રકાશભાઈ શેઠ,આઈ ઓ સી ના મેનેજર સમીરભાઈ દોશી, તપસ્વી સુશીલભાઈ ગોડા,અહૅમ યુવા સેવા ગ્રુપના તુષારભાઈ મહેતા,સેતુરભાઈ દેસાઈ, સચીનભાઈ વાલાણી. વગેરે ઉપસ્થિત રહેલ તેમ મનોજ ડેલીવાળાએ જણાવેલ છે.

શાહ પરીવારે પચાસ રૂપિયાની પ્રભાવનાનો લાભ લીધેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.